સ્વતંત્રતા દિવસ આપણે સૌ મનાવીએ છીએ પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે 15 ઓગસ્ટનો દિવસ, રાત્રે 12 વાગ્યાનો સમય અને વર્ષ 1947 જ શા માટે પણ પસંદ કરવામાં આવ્યું? શું તમે જાણો છો કે તે સમયે એટલે કે 1947માં પણ આઝાદીના શપથ મૂર્હૂત પ્રમાણે લેવામાં આવ્યા હતા.
આઝાદી પહેલાં ગાંધીજીના જનઆંદોલનથી જનતા જાગૃત બની અને સુભાષચંદ્ર બોઝની ફોજે અંગ્રજો પર કાળો કહેર વર્તાવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થતા હાલત ખરાબ બની. 1945માં મજૂરોની જીત થઈ અને સાથે જ આઝાદીની પણ જીત થઈ. અનેક મતભેદ બાદ પણ ભારતીય નેતાઓની વાતચીત ચાલુ જ રહી. અને સાથે જ સ્વતંત્ર ભારતનું સપનું સાકાર બન્યું. ફેબ્રુઆરી 1947માં લોર્ડ માઉન્ટબેટનને છેલ્લા ભારતીય વાઈસરોય તરીકે પસંદ કરવામાં આવ્યા. શરૂઆતમાં તેઓએ નક્કી કર્યું કે જૂન 1948માં આઝાદી મેળવીશું, પરંતુ પછી મોહમ્મદ અલી ઝીણાએ અલગ દેશની માંગ કરી. જેને કારણે સાંપ્રદાયિક ઝઘડા શરૂ થયા. સ્થિતિ વધારે વણસે તે પહેલાં લોર્ડ માઉન્ટબેટને નક્કી કર્યું કે 1948ને બદલે 1947માં આઝાદી મેળવવવાનું નક્કી કર્યું.
રાતના 12 વાગ્યાનો સમય શા માટે?
આઝાદીની તારીખ 3જૂન 1948થી 15 ઓગસ્ટ 1947માં તારીખ બદલાઈ. જ્યોતિષના મતે 15 ઓગસ્ટ 1947ની તારીખ અમંગળ હતી. જ્યોતિષીઓના અનુસાર 14 અને 15 ઓગસ્ટની રાતના 12 વાગ્યોનો સમય નક્કી થયો. અંગ્રેજી કેલેન્ડરમાં દિવસ રાતે 12 વાગે શરૂ થાય છે અને હિન્દુ કેલેન્ડર અનુસાર તારીખ સૂર્યોદયની સાથે બદલાય છે. જ્યોતિષીઓએ નહેરૂને કહ્યું કે આઝાદીની સ્પીચ અભિજિત મૂહ્રૂતમાં એટલે કે રાતના 11-51થી 12.39ની વચ્ચે રાખવાની રહેશે. સ્પીચ રાતે 12 વાગે પૂર્ણ કરવાની રહેશે અને પછી શંખનાદ થશે. આ રીતે મળી આઝાદી.
15 ઓગસ્ટની તારીખ કેમ?
લોર્ડ માઉન્ટ બેટન આ તારીખને શુભ ગણતા હતા. દ્વિતિય વિશ્વયુદ્ધમાં જાપાની આર્મીએ આ દિવસે આત્મસમર્પણ કર્યું અને માટે આ લોર્ડ માઉન્ટબેટન તેને શુભ માનતા. આ જ કારણ છે કે 15 ઓગસ્ટનો દિવસ પસંદ કરાયો.