જયારે કોઈ વિદ્યાર્થી કે વ્યકિત સ્પર્ધાત્મક પરીક્ષા આપે ત્યારે તે કંઈ કેટલાય સપના જોઈ લેતો હશે, સારી સારી સરકારી નોકરીઓની કલ્પના કરી લેતો હશે, પરંતુ એજ સપના ત્યારે ચકનાચૂર થાય જયારે તંત્રની અણઆવડત અથવા તો ષડયંત્રકારોની ચાલાકીના લીધે પેપર ફૂટી જાય અને પરીક્ષા રદ થઈ જાય.. પછી તો સ્વભાવિક છે કે ફરી પરીક્ષા લેવાય એમા પછી કોઈ કારણોસર ભરતીપ્રક્રિયા અટકે અને એવી અનેક સરકારી વાતોની વચ્ચે કોઈ ઉજજવળ ભવિષ્યનો ઉદય થતા પહેલા જ અસ્ત થઈ જાય.. સવાલ એ છે કે જે કસોટી લેવાય છે એ જ કસોટીની એરણે કેમ ચડે છે.. આ જ વિષય પર છે આજનુ મહામંથન મારી સાથે