તમે ઘણી વખત જોયુ જ હશે કે તમારી ઓફિસ કે મોલના ટાયલેટના દરવાજા નીચેથી ઉંચા હોય છે. આવું શા માટે? આવો જાણીએ તેના પાછળનું કારણ
તમને ખબર છે?
પલ્બિક ટોયલેટના દરવાજા ઉંચા કેમ હોય છે?
તેના પાછળ આ છે કારણ
જો તમે મોલ કે ઓફિસના ટોયલેટનો ઉપયોગ કર્યો છે તો એક ફરક સ્પષ્ટ રીતે જોવા મળે છે. તે છે તેના દરવાજા, જે જમીનથી થોડા ઉંચા હોય છે. ક્યાંરેય વિચાર્યુ છે કે આવું શા માટે કરવામાં આવે છે? હકીકતે તેના ઘણા કારણો છે અને તેના ઘણા ફાયદા પણ છે. જેવા કે દરવાજા ઉંચા હોવાની સ્થિતિમાં ટોયલેટ સરળતાથી સાફ કરવામાં આવી શકે છે. જમીન પર રહેલું પાણી અને મોઈસ્ચરના કારણે દરવાજો ખરાબ થતો નથી. તે ઉપરાંત પણ ઘણા એવા કારણ છે જે જાણીને તમે ચોંકી ઉઠશો...
હવાનું સર્કુલેશન થાય છે
દરવાજા ઉંચા હોવાના કારણે ટોઈલેટમાં હવાનું સર્કુલેશન થતુ રહે છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી જેવી સ્થિતિ નથી થતી. ટોયલેટનો ઉપયોગ કરનાર વ્યક્તિને જો ઈમરજન્સી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓ થાય છે તો તેને સરળતાથી કાઢી શકાય છે. ફિટ દરવાજા વાળા ટોયલેટમાં આમ કરવું સરળ નથી રહેતુ.
બંધ ટોયલેટ
બંધ ટોયલેટમાં સ્મોકિંગ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. મોટાભાગના લોકો અહીં સ્મોકિંગ કરે છે. સંપૂર્ણ રીતે બંધ ટોયલેટમાં ધુમાડો ભરાઈ જવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ત્યાં જ ઉંચા દરવાજા વાળા ટોયલેટમા આમ નથી થતું. સિગરેટનો ધુમાડો સરળતાથી નિકળે છે અને એર વેન્ટિલેશન થતુ રહે છે.
તેનો એક ફાયદો એ પણ છે કે ટોયલેટનો ઉપયોગ કરવા પહોંચેલા બીજા વ્યક્તિને ખબર પડી જાય છે કે કોઈ તેમાં સ્મોકિંગ કરી રહ્યું છે માટે સ્મોકિંગના મામલા ઓછા થવામાં પણ મદદ મળે છે. માટે આવા દરવાજા વાળા ટોયલેટમાં સ્મોકિંગ કરવાથી બચો.
કોઈ ફસાઈ જાય તો બહાર કાઢવું સરળ
ઘણી વખત એવી ઘટનાઓ સામે આવે છે જ્યારે બાળક પોતાને ટોયલેટમાં બંધ કરી દે છે એવા દરવાજાને તોડવા જરૂરી થઈ જાય છે. નવા ટોયલેટમાં તેનો ખતરો નથી કારણ કે નાના બાળકને નીચે અથવા ઉપરની તરફથી બહાર કાઢી શકાય છે. આ રીતે ઈમરજન્સીમાં આવા દરવાજા મદદ કરે છે.