પ્રેમ એક ખુબસુરત અહેસાસ છે, જેમાં બે લોકો એક થઇ જાય છે. એક બીજાનું ધ્યાન રાખે છે એક બીજાના પ્રેમમાં ડૂબેલા રહે છે. તેમાંથી કેટલાક કપલ જ એવા હોય છે જે તેમના પ્રેમ સંબંધને લગ્ન સુધી લઇ જઇ શકે છે. તમે જોયુ હશે કે કેટલાક લોકો વર્ષો સુધી પ્રેમસંબંધમાં રહ્યા બાદ લગ્ન કરે તેમ છતાં તેમના ડિવોર્સ થઇ જાય છે. લવ મેરેજ ટુટવાનું કારણ શું હોય છે આજે તે જાણીએ.
પ્રેમસંબંધોમાં ન કરશો આ ભૂલ
લવ મેરેજ શા કારણે ટૂટી જાય છે?
વર્ષો સુધીના સંબંધો બાદ કેમ ડિવોર્સ?
સમય નથી આપી શકતા
લગ્ન પહેલા કપલ એક બીજાને ખુબ સમય આપે છે. તે મળે છે અથવા તો ફોન પર વાતો કરે છે, આ રીતે એક બીજા સાથે જોડાયેલા રહે છે. લગ્ન બાદ કપલ એક બીજાને સમય આપવાનો ઓછો કરી દે છે. લોકોને આ જરૂરી લાગતુ નથી તે વિચારે છે કે હવે લગ્ન થઇ ગયા તો સમય આપવાની શું જરૂર, પરંતુ આ જ સૌથી મોટી ભૂલ હોય છે. આ કારણથી લવ મેરેજ ટૂટવાની સંભાવના રહે છે,
ટોન્ટ મારવા
લગ્ન પહેલા સાથે રહેનારા કપલને એક બીજાની કેટલીક વાતો ખબર હોય છે. તે જાણે છે કે સામેના પાત્રમાં શું ખામી છે. લગ્ન પહેલા થોડો જ સમય સાથે રહેવા મળે છે માટે તેઓ માત્ર પ્રેમની વાતો કરે છે પરંતુ લગ્ન બાદ તે હંમેશા સાથે રહે છે માટે કેટલીક વાર ટોન્ટ પણ મારવા લાગે છે. આ ટોન્ટથી તમારા પાર્ટનરને ખરાબ લાગી શકે છે અને સંબંધો પર વિરામ મૂકવાનુ વિચારી લે છે,
પાર્ટનરની એડવાઇઝને ઇગ્નોર કરવું
લવ મેરેજ બાદ કપલ એક બીજાની વાતને ઇગ્નોર કરવા માગે છે. પાર્ટનરની વાત સાંભળીને ઇગ્નોર કરી દે છે જેથી ઝઘડાની શરૂઆત થાય છે અને ધીરે ધીરે એકબીજામાંથી રસ ઉઠી જાય છે.
વાતો પર ધ્યાન ન આપવું
લગ્ન પહેલા એકબીજાની વાત ધ્યાનથી સાંભળતા કપલ લગ્ન બાદ બદલાઇ જાય છે. જો પત્નીએ કંઇ લાવવા કહ્યું હોય તો તે ભૂલી જાય છે અને પહેલાની વાતોને યાદ કરીને ઝઘડા કરવા લાગે છે. માટે ક્યારેય તમારા પાર્ટનરની વાતોને ઇગ્નોર ન કરો.
બાળકો મહત્વનો ભાગ ભજવે છે
જ્યાં સુધી પ્રેમ હોય છે ત્યાં સુધી તમે એકબીજામાં ડૂબેલા હોવ છો. બાદમાં બાળકો આવી જવાને કારણે કપલ વચ્ચે ગેપ આવી જાય છે. જેના કારણે વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે.
જો તમે પણ લવ મેરેજ કરવા ઇચ્છો છો તો આ પ્રકારની ભૂલોથી બચો. ભૂલ નાની હોય પરંતુ પરિણામ મોટુ આવે છે.