દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેરનો સામનો કરી રહેલું કેરળ ચિંતા વધારી રહ્યું છે. અહીં સક્રામકતાની R વેલ્યૂ 1થી નીચે હોવા છતાં ડેથ રેટમાં વધારો જોવા મળી રહ્યો છે.
દેશમાં કોરોનાના કેસમાં મળી રહી છે રાહત
કેરળમાં સંક્રામકતાની સાથે વધી રહ્યો છે ડેથરેટ
ઘટતા કેસની સાથે વધી સરકારની ચિંતા પણ
કેરળમાં કોહરામ મચાવ્યા બાદ હવે કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે. રાજ્યમાં મહામારીના એક્ટિવ કેસની સંખ્યા હવે લગભગ 90 હજારની થઈ છે. અહીં આર વેલ્યૂ 1થી ઓછી છે પણ ડેથ રેટ ઘટી રહ્યો નથી. પરંતુ રાજયમાં કોરોના ડેથ રેટ એ સરેરાશમાં ઘટી રહ્યો નથી. અહીં રોજ 100-200 લોકોના મોત થઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં અત્યારસુધીમાં 3109 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃતકોની સંખ્યા લગભગ 24 હજારની થઈ છે.
જાણો કઈ ઉંમરના લોકોના મોત વધારે
કોરોનાથી થયેલા મોતના આંકડા પર નજર કરીએ તો 74 ટકા લોકોના મોત 60ની ઉંમરથી વધારેના જોવા મળી રહ્યા છે. 21 ટકાની ઉંમર 41-59 વર્ષની છે. 18-40ની ઉંમરના લોકોને 4 ટકા ખતરો રહે છે.
80 ટકા મોત 6 મહિનામાં
આંકડા એમ પણ કહે છે કે મહામારીના આઉટબ્રેક બાદ અત્યારસુધી થયેલા કુલ મોતના 80 ટકા મોત છેલ્લા 6 મહિનામાં થયા છે. તેને મહામારીની પ્રચંડ બીજી લહેરની સાથે જોડીને જોવામાં આવે છે. 1 એપ્રિલથી 20 સપ્ટેમ્બરના સમયમાં અહીં 19276 લોકોના મોત થયા છે.
શું કહે છે એક્સપર્ટ
સપ્ટેમ્બરના 3 અઠવાડિયામાં મોતનો આંક સતત વધી રહ્યો છે. ણળતી માહિચી અનુસાર એક્ટિવ કેસની સંખ્યા ઘટવા અને મોતની સંખ્યા ઘટવાની વચ્ચે 15 દિવસનો ગેપ હોય છે. આ સાથે ડેથ રેટ ઘટવામાં સમય લાગી શકે છે. આ સિવાય ખાસ કારણ એ છે કે લોકોમાં વેક્સિનેશનને લઈને ખચકાટ હજુ પણ જોવા મળી રહ્યો છે. અનેક લોકો છે જેઓએ એક પણ ડોઝ લીધો નથી.