હિંદુઓની દરેક પૂજામાં દહીંનો પ્રયોગ જરૂરી હોય છે કારણ કે દહીંને શુભ માનવામાં આવે છે. લગ્ન હોય કે પૂજા-પાઠ ભોજનમાં દહીં હોય છે કારણ કે તે સમયે પૂજામાં બેસનારને વ્રત રાખવું પડે છે. ખાલી પેટ હોવાના કારણે શરીરમાં એસીડીટીની સમસ્યા ઉભી થાય છે જેથી દહીં ખાવામાં આવે છે. દહીં પિત્ત અને પેટમાં ઠંડક આપે છે જેથી દહીં શુભ કામમાં પરંપરા બની ગયું.
જે રીતે દહીંનો ઉપયોગ પૂજામાં થાય છે તેજ રીતે માખણનો ઉપયોગ કાન્હાની પૂજામાં થાય છે. મુરલી મનોહરને માખણનો ભોગ ધરાવાય છે માખણ દૂધની છેલ્લી અવસ્થા હોય છે જે ઘણી પ્રક્રિયાઓ બાદ તૈયાર થાય છે આનો મતલબ થાય છે દરેક માણસ જીવનમાં તમામ પ્રકારના કર્મો કરીને છેલ્લે શ્રીકૃષ્ણના શરણમાં આવે છે.
માખણનો આશય જીવન સાથે જોડાયેલો છે ભલે મનુષ્ય સાંસારિક હોય પરંતુ તેને જીવનનો મતલબ ખબર હોય છે તે માખણની જેમ મુલાયમ અને કોમળ હોય છે જેને વાહ્ય ચીજ વસ્તુઓ દુષિકત નથી કરતી. કનૈયાનો જન્મ ન્યાય અપાવવા માટે થયો હતો તેમણે લોકોને ગીતાનો પાઠ શીખવ્યો. જેમાં કર્મ ટોચ પર છે પરંતુ તે ધર્મને નથી છોડતો.