બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:42 AM, 18 April 2025
કોઈપણ દેશ માટે તેની ધરોહર કે વારસો એ હોય છે જે તેના અતિત અને ગૌરવને રજુ કરે., એવા ઘણા સ્મારક અને સ્થળો છે જે અતિતની વાર્તા પોતાની અંદર સંગ્રહીને બેઠા છે.. યુદ્ધ, મહાપુરુષ, કલા અને સંસ્કૃતિને ઇતિહાસના પાના પર નોંધાવવાની સાથે-સાથે તેમની સાબીતી રૂપે આ સ્મારક સ્થળોનું અસ્તિત્વ ટકી રહેવું જરૂરી છે, અને આ જ કારણોથી વિશ્વ ધરોહર દિવસ ઉજવવાની જરૂરીયાત અનુભવાઇ.
ADVERTISEMENT
તમામ દેશોના ઇતિહાસ તેમની સંસ્કૃતિ અને કલાના પૂરાવાને જીવીત રાખનારા આ સ્થળોને ધરોહર કે વારસો કહે છે અને તેમના સંરક્ષણ અને જાળવણી માટે વિશ્વ ધરોહર દિવસ મનાવવામાં આવે છે , જેને વર્લ્ડ હેરિટેજ ડે નામથી ઓળખવામાં આવે છે. પ્રતિવર્ષ 18 એપ્રિલના દિવસે વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાની શરૂઆત વિશ્વ સ્મારક દિવસ તરીકે થઇ હતી પરંતુ યુનેસ્કોને બાદમાં તેને વિશ્વ ધરોહર દિવસ કે પછી વર્લ્ડ હેરીટેજ ડેમાં બદલી નાંખ્યો.
ADVERTISEMENT
વર્લ્ડ હેરિટેજ ડેનો ઇતિહાસ
1968 માં પ્રથમ વખત, એક આંતરરાષ્ટ્રીય સંગઠને વિશ્વની તમામ પ્રખ્યાત ઇમારતો અને કુદરતી સ્થળોના રક્ષણનો પ્રસ્તાવ મૂક્યો, જેને સ્ટોકહોમમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો. પાછળથી જ્યારે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના થઈ, ત્યારે ૧૮ એપ્રિલ ૧૯૭૮ ના રોજ વિશ્વ સ્મારક દિવસની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ વિશ્વ સ્મારકોની યાદીમાં ફક્ત ૧૨ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો.
પહેલી વાર હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવ્યો?
ચાર વર્ષ પછી, ૧૮ એપ્રિલ ૧૯૮૨ના રોજ અંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ પરિષદે સૌપ્રથમ ટ્યુનિશિયામાં વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરી. એક વર્ષ પછી, નવેમ્બર 1983માં, યુનેસ્કોએ મેમોરિયલ ડેને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવાની મંજૂરી આપી. ત્યારથી, દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવાનું શરૂ થયું.
વર્લ્ડ હેરિટેજ ડે 2025 ની થીમ
દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે એક ખાસ થીમ હોય છે. વર્ષ 2024 માં વિશ્વ વારસા દિવસની થીમ વિવિધતાની શોધ અને અનુભવ હતી . આ વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે 2025 ની થીમ છે. આપત્તિઓ અને સંઘર્ષોથી જોખમમાં મુકાયેલી ધરોહરોઃ ICOMOSની 60 વર્ષોની કાર્યવાહીઓથી તૈયારી અને શીખ
વિશ્વ ધરોહર યાદીમાં સામેલ થવાના ફાયદા
જ્યારે યુનેસ્કો કોઈપણ સ્મારક અથવા સ્થળને વારસો તરીકે જાહેર કરે છે, ત્યારે તે સ્થળનું નામ વિશ્વમાં ખૂબ પ્રખ્યાત થઈ જાય છે. આના કારણે, વિદેશી પ્રવાસીઓની અવરજવર પણ નોંધપાત્ર રીતે વધે છે, જેનો સીધો ફાયદો દેશના અર્થતંત્રને થાય છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થયા પછી, તે સ્થળની ખાસ કાળજી લેવામાં આવે છે અને તેની સુરક્ષા પણ વધારી દેવામાં આવે છે. જો આ સ્મારક એવા દેશમાં આવેલું હોય જેની આર્થિક સ્થિતિ સારી ન હોય, તો યુનેસ્કો પોતે જ સ્મારકની સંભાળ અને રક્ષણની જવાબદારી લે છે.
આ પણ વાંચોઃ સ્પેસટેક પોલિસી જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
વિશ્વ ધરોહર સ્થળોની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?
શરૂઆતમાં જે વિશ્વ સ્મારક દિવસ ઉજવવામાં આવતો હતો, જેમાં 12 સ્મારકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ આજે ઘણા સ્મારકો, ઐતિહાસિક અને કુદરતી સ્થળોને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. અંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ પરિષદ અને વિશ્વ સંરક્ષણ સંઘ એ બે સંસ્થાઓ છે જે મૂલ્યાંકન કરે છે કે કોઈ સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવા યોગ્ય છે કે નહીં. વર્ષમાં એકવાર આ વિષય માટે એક સમિતિ બેસે છે અને સ્થાનો પસંદ કરે છે. સ્થળ પસંદ કર્યા પછી, બંને સંસ્થાઓ તેની ભલામણ વર્લ્ડ હેરિટેજ કમિટીને કરે છે. પછી નિર્ણય લેવામાં આવે છે કે તે સ્થળને વિશ્વ ધરોહર બનાવવું જોઈએ કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.