આપણી સંસ્કૃતિમાં દરેક શુભ કાર્ય કરતા પહેલા જેમ ગણપતિની પૂજા કરવામાં આવે છે તેમ તિલક પણ લગાવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે તિલક કેમ લગાવવામાં આવે છે? આ ઉપરાંત આપણે મંદિરમાં જઇયે તો પણ તિલક લગાવવામાં આવે છે પણ કેમ? આજે અમે તમને જણાવશું કે તિલક કેમ લગાવવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ તિલક હંમેશા બેસીને લગાવવું જોઈએ. પદ્મ પુરાણમાં એક જગ્યાએ લખ્યું છે કે 'वाम्-पार्श्वे स्थितो ब्रह्मा दक्षिणे च सदाशिवः। मध्ये विष्णुम् विजनियात तस्मान् मध्यम न लेपयेत्।। એટલે કે કપાળની જમની બાજુમાં શ્રીબ્રહ્મા વામ હિસ્સામાં શિવજી તથા મધ્ય ભાગમાં શ્રીકૃષ્ણ વાસ કરે છે.
એટલા માટે મધ્યનો અંશ ખાલી રાખવો જોઈએ. જેથી કપાળ પર શ્રીકૃષ્ણનો વાસ રહે. આરાધ્ય પર ચઢાવવામાં આવેલા બચેલા ચંદનથી તિલક લગાવવું જોઈએ. પદ્મ પુરાણના ઉત્તર ખંડમાં ભગવાન શિવ પાર્વતીજીને કહે છે. વૈષ્ણવ લોકોને “V” આકારમાં બનાવામાં આવેલા તિલકની વચ્ચે જે સ્થાન છે.
જેમાં લક્ષ્મી અને નારાયણ વાસ કરે છે. એટલા માટે જ પણ લોકો આ રીતે તિલક કરતા હોય તેમને શ્રીવિષ્ણુના મંદિરના સમાન સમજવું જોઈએ. શ્લોક- स्नानं दानं तपो होमो देवतापितृ कृम्र्म च। तत्सर्व निषफलं याति ललाटे तिलकं बिना। ब्राह्मण स्तिल्कं कृत्वा कुय्र्यासंध्याच्च तर्पणम्।। અર્થાત તિલક વગર સ્નાન હવન જપ તપ અને દેવકાર્ય આદિ કાર્ય વિફળ થઈ જાય છે.
તિલક લગાવવાની રીત બ્રાહ્મણો અનુસાર તિલક લગાવ્યા પછી દાન કરવું જોઈએ. દેવી-દેવતાની અનામિકા આંગળી દ્વારા પોતાની મધ્ય આંગળી દ્વારા પિતૃગણોની તર્જની આંગળી દ્વારા તથા બ્રાહૃમણના અંગૂઠા દ્વારા તિલક લગાવામાં આવે છે. આ વિધિ સવારે કરવામાં આવે છે.