પીપળામાં વિષ્ણુ ભગવાનનો વાસ માનવામાં આવે છે. શ્રીમદ ભાદવત ગીતાના 10માં અધ્યાયના 26માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ પોતે કહે છે. 'હું બધા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ છું. એટલા માટે હિંદુ પીપળાની રક્ષા માટે તૈયાર થઇ જાય છે. સ્કંદ પુરાણ નાગર 247 શ્લોક અનુસાર પીપળાના મૂળમાં વિષ્ણુ ડાળીમાં કેશવ શાખાઓમાં નારાયણ પત્તામાં ભગવાન શ્રી હરિ અને ફળોમાં બધા દેવતા નિવાસ કરે છે.'
આ વૃક્ષ વિષ્ણુ સ્વરૂપ છે. મહાત્મા પુરુષ આ વૃક્ષના પુણ્યમય મૂળની સેવા કરે છે. એના ગુણોથી યુક્ત અને કામનાદાય આશ્રય મનુષ્યોના હજારો પાપનો નાશ કરનાર છે વૈજ્ઞાનિક અનુસંધાનોનું વિસર્જન કરે છે. એની છાયા ઠંડીમાં ગરમી આપે છે અને ગરમીમાં ઠંડક આપે છે.
શાસ્ત્રોનુસાર શનિરા પીપળા પર લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે તથા એ દિવસે પાણી ચઢાવવું શ્રેષ્ઠ છે તો રવિવારે પીપળા પર પાણી ચઢાવવું નિષેધ છે. શાસ્ત્રો અનુસાર રવિવાર પીપળા પર પાણી ચઢાવવાથી જીવ દરિદ્રતાને પ્રાપ્ત કરે છે. પીપળાના વૃક્ષને ક્યારેય કાપવું જોઇએ નહીં આવું કરવાથી પિતરોને કષ્ટ મળે છે તથા વંશવૃદ્ધિની હાનિ થાય છે. કોઇ વિશેષ પ્રયોજનથી નિયમાનુસાર પૂજન કરવા તથા પવિત્ર કાર્યોના લક્ષ્યથી પીપળઆની લાકડી કાપવા પર દોષ લાગતો નથી.