રાજ્યમાં કમોસમી વરસાદનાં લીધે ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ જેવી થવા પામી છે. ત્યારે કમોસમી વરસાદનાં કારણે રવિ સીઝનનાં પાકને નુકશાન થવા પામ્યું છે. જ્યારે કેરીનાં પાકમાં નુકશાન થવા પામ્યું છે.
રાજ્યના કેટલાક જિલ્લામાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ચેહરા પર ચિંતાના વાદળ ઘેરાયા છે. આભમાંથી વરસતા પાણીની સાથે ખેડૂતોને ચોંધાર આસુએ રોવાનો વારો આવ્યો છે. સતત મહેનત કરતા ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ 24 કલાક પોતાના પાક પાછલ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યા છે. અનેક સમસ્યાઓ બાદ પાક ઉભો થયો છે. ત્યારે ખેડૂતોએ પાકને કાપીને યાર્ડ અથવા માર્કેટમાં વેચવાનો વિચાર કર્યો છે. કુદરતના આ કહેરે ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફેરવ્યો છે. કુદરતના માર બાદ હવે સરકાર પાસે ખેડૂતો મદદની ગુહાર લગાવી રહ્યા છે.
સરકાર વહેલી તકે સરવે કરાવીને સહાય આપે તેવી ખેડૂતો અપેક્ષા લગાવી રહ્યા છે. સહાય અંગે પણ ખેડૂતોને અનેક સવાલ ઉપજી રહ્યા છે. જો સરકાર સહાય આપવાની જાહેરાત પણ કરે તો પણ નુકસાનીનો સરવે કેવી રીતે કરવામાં આવશે?. પાકને થયેલા નુકસાન અંગે સરકાર કઈ રીતે વળતર નક્કી કરશે. સરકારના ધારાધોરણ મુજબ ખેડૂતોને કેટલુ વળતર મળશે.. નુકસાનીની ભરપાઈ કરવા ખેડૂત પાસે કોઈ વિકલ્પ છે? .
કમોસમી વરસાદથી ક્યાં પાકને નુકસાન?
ઘઉં
જીરુ
રાયડો
કેરી
તમાકુ
કપાસ
ધાણા
એરંડા
શાકભાજી
બાગાયતી પાક
ક્યાં ક્યાં જિલ્લામાં નુકસાન?
દ્વારકા
પોરબંદર
મહેસાણા
ગીર સોમનાથ
બનાસકાંઠા
જેતપુર
પાટણ
તાપી
કચ્છ
અરવલ્લી
બોટાદ
સાબરકાંઠા
ભાવનગર
ક્યાં પડ્યો વરસાદ?
દેવભૂમિ દ્વારકા
મહેસાણા
ગીર-સોમનાથ
બનાસકાંઠા
નગડીયા
મેઘાલીયાસણા
ઉના
વાવ
ખીરસરા
ચિત્રોડીપુરા
ગીર-ગઢડા
થરાદ
ખંભાળીયા
ઉચરપી
તાલાળા
ભાભર
પોરબંદર
ગુંજાળા
લાખણી
ધાનેરા
પાટણ
અરવલ્લી
તાપી
પાંથાવાડા
સરસ્વતી
મોરા
સોનગઢ
વલસાડ
સિદ્ધપુર
વણીયાદ
ડોલવણ
કપરાડા
કચ્છ
કોકાપુર
કુકરમુંડા
ધરમપુર
ગડા
ઉમેદપુર
દક્ષિણ ડોલવણ
ઉમરગામ
અંજાર
દધાલિયા
પારડી
ભચાઉ
ગાંધીધામ
રાપર
માંડવી
અબડાસા
25,26 અને 27 માર્ચના રોજ વાતાવરણમાં પલટો આવશે
3થી 8 એપ્રિલના દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની શક્યતા
રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા
અખાત્રીજ નજીક પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
25,26 અને 27 માર્ચના રોજ વાતાવરણમાં પલટો આવશે. તેમજ 3થી 8 એપ્રિલના દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા પણ છે. અખાત્રીજ નજીક પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. તેમજ બાગાયતી પાકોમાં નુકસાનની શક્યતા છે. ત્યારે 26 એપ્રિલ બાદ આકરી ગરમી થશે. ગરમીના કારણે વરસાદ વહેલો આવી શકે છે. 15 જૂન પહેલાં ચોમાસાનો વરસાદ આવશે. 7 જૂનથી સમુદ્રના પ્રવાહોમાં બદલાવ આવવાની શક્યતા. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં છૂટો છવાયો વરસાદ રહેશે.
રાજ્યમાં થોડા દિવસથી સતત કમોસમી વરસાદ
તૈયાર થયેલા રવિ પાકને નુકસાન થયું
હાલ જે શિયાળુ પાક તૈયાર થયા હોય તેને વેચવાનો સમય
ઘઉંનો પાક સામાન્ય વરસાદમાં સડી જાય છે
ઘઉ એવો પાક છે જેને વરસાદ કરતા સિંચાઈના પાણીની વધુ જરૂર છે
રાજ્યમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યા
કરા પડવાથી તડબૂચ, ટેટી, કેરીના પાકને નુકસાન થયું
ખેડૂતોને સહાય કેમ જરૂરી?
રાજ્યમાં થોડા દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તૈયાર થયેલા રવિ પાકને નુકસાન થયું. હાલ જે શિયાળુ પાક તૈયાર થયા હોય તેને વેચવાનો સમય. ત્યારે ઘઉંનો પાક સામાન્ય વરસાદમાં સડી જાય છે. ઘઉ એવો પાક છે જેને વરસાદ કરતા સિંચાઈના પાણીની વધુ જરૂર છે. રાજ્યમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યા છે. કરા પડવાથી તડબૂચ, ટેટી, કેરીના પાકને નુકસાન થયું છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાના દાવા મુજબ માત્ર ગીર-સોમનાથમાં જ કેરીને મોટું નુકસાન થવાથી તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરશે. ગીર-સોમનાથમાં કેરીના પાકને 70 ટકા જેટલા નુકસાનનો દાવો છે. ખેડૂતો શિયાળુ પાકને તૈયાર કરીને આ સિઝનમાં માર્કેટમાં વેચવા કાઢે છે. પાક બગડી જવાથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળે છે. અનેક જગ્યાએ ખેડૂતો પાકને વેચવાની તૈયારી કરતા હતા અને વરસાદ પડ્યો છે.
અંબાલાલ પટેલના મતે કમોસમી માવઠાનું કારણ શું?
અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના પર્વતોની હારમાળા ઇરાનથી આવતા ભેજવાળા ઠંડા પવન અટકાવે છે. ભેજવાળા ઠંડા પવન અટકતા મધ્યમકક્ષાના વાદળનો સમૂહ બને છે. જેને સાનુકુળ હવામાન મળતા માવઠું થાય છે. વરાળ ઉંચે હોય ત્યારે ઠંડક વધારે મળે છે. ત્યારે વાદળાના પાણીની હિમપત્તીઓ બને અને હિમપત્તીઓ મોટી થતાં કરા બને. વાદળાના સમૂહનું ઘર્ષણ થવાથી વીજળી થાય છે. ગુજરાતની બલુચિસ્તાનના પર્વતની હારમાળા દોઢેક કિમી દીવાલ રચે છે. આ દિવાલથી અરબસાગરના ભેજવાળા પવન મળતા પૂર્વ કે ઇશાન તરફ ખસે છે. વાદળનો સમૂહ ગુજરાતમાં વાદળ વરસાવે છે. માર્ચમાં હવે આકરી ગરમી પડશે. ઇરાનથી આવતા પવનો પાકિસ્તાન અને ગુજરાતની નજીક કેમ આવે છે? ઇરાનમાં બનતી પ્રક્રિયાનું કારણ શું છે? ત્યારે પશ્ચિમી વિક્ષેપ ઉતરીય પર્વતીય પ્રદેશમાં થવી જોઇએ. તેમજ આ ન થતાં ઉત્તરભારતથી રાજસ્થાન સુધીમાં અસર રહે . જ્યારે એપ્રિલમાં હિમાલયમાં બરફ પડે તો દેશમાં ચોમાસુ વિલંબમાં મુકાય શકે છે. ગંગા જમનાના મેદાની વિસ્તાર તપવા જોઇએ. જેથી એપ્રિલમાં હિમાલયમાં બરફ ઓછો પડવો જોઇએ.