સ્વસ્તિક એક વિશેષ આકૃતિ છે જેને કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા બનાવવામાં આવે છે. તેનો અર્થ છે કલ્યાણ અથવા મંગળ. તે જ રીતે સ્વસ્તિકનો અર્થ થાય છે મંગળ કરનાર.
એવી માન્યતા છે કે તે ચારેય દિશાઓમાંથી શુભ અને મંગળને આકર્ષિત કરે છે. તેથી જ તેને ભગવાન ગણેશનું પણ રૂપ માનવામાં આવે છે.
સ્વસ્તિકનુ મહત્વ:
-આ ઉર્જા વસ્તુ અથવા વ્યક્તિની રક્ષા કરવામાં મદદગાર થાય છે.
-યોગ્ય રીતે બનાવેલા સ્વસ્તિકથી અનેક ગણી સકારાત્મક ઉર્જા ઉદ્ભવે છે.
-ખોટી રીતે બનાવેલો સ્વસ્તિક ભયંકર સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે.
-સ્વસ્તિકની ઉર્જાનો જો ઘર હોસ્પિટલ અથવા રોજિંદા જીવનમાં પ્રયોગ કરવામાં આવે તો વ્યક્તિ રોગમુક્ત અને ચિંતા મુક્ત રહી શકે છે.
અહીં બનાવો સ્વસ્તિક:
-પૂજાના સ્થાન અભ્યાસના સ્થાન અને વાહનમાં પોતાની સામે સ્વસ્તિક લગાવો.
-ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં નાના-નાના સ્વસ્તિક લગાવવાથી તે જલ્દી ખરાબ નથી થતાં.
-એકાગ્રતા માટે સોના અથવા ચાંદીમાં બનાવેલું સ્વસ્તિક લાલ દોરામાં પરોવીને ધારણ કરો.
-જ્યાં જ્યાં વાસ્તુદોષ હોય અથવા ઘરના મુખ્ય દ્વાર પર લાલ રંગનો સ્વસ્તિક બનાવો.