એક તરફ પંડિત નહેરુ અને અટલજી જે સામસામી વિચારધારાના હોવા છતા શબ્દોને જોખી તોળીને બોલવા માટે જાણીતા હતા. જયારે બીજી તરફ આજે એવા નેતાઓનો રાફડો ફાટ્યો છે. કે જેના શબ્દોમાં અનેકવાર લેશમાત્ર સંયમ કે શરમ જોવા ન મળે.
માનહાની કેસમાં દોષિત સાબિત થયા બાદ રાહુલનું સાંસદનું પદ જોખમમાં ?
જે નિવેદન વિવાદ જગાવે એવા નિવેદન નેતા શા માટે કરે છે?
નિવેદન પાછળના ગૂઢાર્થ શું પીઢ નેતાઓને ખબર નહીં હોય?
કોઈપણ વ્યક્તિ જ્યારે જાહેર જીવનમાં પ્રવેશે ત્યારે તેની જવાબદારી વધી જતી હોય છે, પછી તેની વાણી હોય કે વર્તન દરેક સ્તરે એક ચોક્કસ સ્તરની સમજણ જરૂરી છે. ભારતીય રાજકારણમાં નેતાઓ મોટેભાગે તો દરેક સ્તરે પાકટ રાજકારણીની જેમ વર્તે છે. પરંતુ છેલ્લા દાયકામાં જાહેર મંચ ઉપરથી અન્ય વ્યકિત કે નેતાની ગરિમાભંગ થાય તેવા નિવેદન સતત આવે છે.. સંદર્ભ ભલે આપણે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી અંગે કરેલા નિવેદન બાદ થયેલી સજાનો લઈએ પરંતુ છેલ્લા થોડા સમયમાં જાહેર જીવનમાં પ્રવેશેલા નેતાએ જે આત્યંતિક નિવેદનોની ભરમાર કરી છે તે ગણાવીએ એટલી ઓછી છે. એવું પણ બિલકુલ નથી તમામ નિવેદન કોઈ ગુસ્સા કે આવેશમાં બોલાઈ જાય, બહુ દુખ સાથે કહેવું પડે છે કે કેટલાક નિવેદન ભલે ચોક્કસ વ્યક્તિ કે સમુદાયનું હનન કરે પરંતુ તે ગણતરીપૂર્વકના નિવેદન હોય છે.. એક વ્યક્તિ કે સમાજનું હનન બીજી વ્યક્તિ, સમાજ કે પક્ષને આકર્ષતું હોય છે.
આ રાજકારણનો જ વિરોધાભાસ કહેવાય કે જયાં એક તરફ પંડિત નહેરુ અને અટલજી જે સામસામી વિચારધારાના હોવા છતા શબ્દોને જોખી તોળીને બોલવા માટે જાણીતા હતા જયારે બીજી તરફ આજે એવા નેતાઓનો રાફડો ફાટ્યો છે કે જેના શબ્દોમાં અનેકવાર લેશમાત્ર સંયમ કે શરમ જોવા ન મળે.. સવાલ એ છે કે માનહાની કરે એવા નિવેદનથી નેતાઓ દૂર કેમ નથી રહી શક્તા, પોતાના નિવેદનની શું અસર પડશે તેનાથી પણ અજાણ હોય એટલા અજ્ઞાની આ નેતાઓ બિલકુલ નથી તો પછી એવા નિવેદનો કેમ..
નિવેદનથી આ નેતાઓ ચર્ચામાં
નુપૂર શર્મા
નુપૂર શર્માએ મોહમ્મદ પયગંબર અંગેના નિવેદનથી તેઓ વિવાદમાં આવ્યા હતા.
રાજા પટેરીયા
રાજા પટેરીયાએ પણ વડાપ્રધાન પર ટિપ્પણી કરી હતી. ત્યારે "બંધારણને બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો" તેમ તેઓએ કહ્યું હતું.
અજય રાય
અજય રાયે પણ સ્મૃતિ ઈરાની પર ટિપ્પણી કરી હતી. જેમાં તેઓએ "સ્મૃતિ ઈરાની અમેઠીમાં લટકા-ઝટકા કરવા આવે છે" તેમ કહ્યું હતું.
અરવિંદ કેજરીવાલ
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ટિપ્પણી કરતા તેઓ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે તેઓએ કહ્યું હતું કે જયારે પૃથ્વી ઉપર ગરબડ થાય છે ત્યારે ઝાડુ ફેરવવું પડે છે.
શિવરાજ પાટીલ
શિવરાજ પાટીલે પણ ભગવદ ગીતા પર ટિપ્પણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે "ભગવદ ગીતામાં પણ જેહાદ છે".
ભરતસિંહ સોલંકી
ભરતસિંહ સોલંકીએ પણ ભાજપ પર આક્ષેપ કર્યો હતો. જેમાં તેઓએ કહ્યું હતું કે , "રામમંદિર માટે એકઠા કરેલા રૂપિયામાંથી અડધા ભાજપના નેતા ખાઈ ગયા".
રાજુ બંદોપાધ્યાય
રાજુ બંદોપાધ્યાયે પણ હિન્દુત્વ મુદ્દે ટિપ્પણી કરી હતી. જેમાં તેઓએ કહ્યું હતું કે, "ચૂંટણીપ્રચારમાં ત્રિશુળ સાથે રાખો".
ચંદનજી ઠાકોર
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ જાતિ વાદી નિવેદન આપતા તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે "ફક્ત મુસ્લિમ જ કોંગ્રેસને બચાવી શકશે".
પ્રધાનમંત્રી અંગે વાંધાજનક નિવેદનમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા
રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા
કર્ણાટકના ચૂંટણીપ્રચારમાં રાહુલ ગાંધીએ વાંધાજનક ટિપ્પણી કરી હતી
રાહુલ ગાંધીએ મોદી અટકનો ઉલ્લેખ કર્યો હતો
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી અટક ધરાવનારા તમામ ચોર કેમ હોય છે?
ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ નિરવ મોદી અને લલિત મોદીનો ઉલ્લેખ કર્યો હતો
સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ મામલે ફરિયાદ કરી હતી
પ્રધાનમંત્રી અંગે વાંધાજનક નિવેદનમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા
પ્રધાનમંત્રી અંગે વાંધાજનક નિવેદનમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. ત્યારે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જો કે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે કર્ણાટકના ચૂંટણીપ્રચારમાં રાહુલ ગાંધીએ વાંધાજનક ટિપ્પણી કરી હતી. જેમાં તેઓએ રાહુલ ગાંધીએ મોદી અટકનો ઉલ્લેખ કર્યો હતો. અને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી અટક ધરાવનારા તમામ ચોર કેમ હોય છે? ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ નિરવ મોદી અને લલિત મોદીનો ઉલ્લેખ કર્યો હતો. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ મામલે ફરિયાદ કરી હતી. પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે મોદી સમાજની આવા નિવેદનથી લાગણી દુભાઈ છે. આજે સુરત સેશન્સ કોર્ટમાં લાંબી દલીલ-સુનાવણી બાદ ચુકાદો આવ્યો.
સુપ્રીમકોર્ટે ધારાસભ્યો-સાંસદો માટે આચારસંહિતા બનાવવા અંગે સ્પષ્ટતા કરી હતી
સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે આ મુદ્દે હસ્તક્ષેપ થઈ શક્તો નથી
સુપ્રીમકોર્ટનો સ્પષ્ટ મત હતો કે આ અંગે વણલખ્યો નિયમ છે
આપતિજનક નિવેદન અંગે સુપ્રીમકોર્ટે શું કહ્યું હતું?
સુપ્રીમકોર્ટે ધારાસભ્યો-સાંસદો માટે આચારસંહિતા બનાવવા અંગે સ્પષ્ટતા કરી હતી. જેમાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે આ મુદ્દે હસ્તક્ષેપ થઈ શક્તો નથી. સુપ્રીમકોર્ટનો સ્પષ્ટ મત હતો કે આ અંગે વણલખ્યો નિયમ છે. ત્યારે નામદાર કોર્ટે કહ્યું કે જાહેર હોદ્દો ધરાવતી વ્યક્તિએ જાત નિયંત્રણ રાખવું રહ્યું.