સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)અનુસાર આ 'લાઈમ ડિસીઝ' (Lyme Disease) એ બેક્ટેરિયલ ઇન્ફેકશન છે જે સંક્રમિત કીડા (Blacklegged Ticks) ના કરડવાથી ફેલાઈ છે.
આ રોગ વિશ્વના 80 થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે
દેશોની યાદીમાં ભારતનું નામ પણ સામેલ
હાલ આ રોગના મોટાભાગના કેસો અમેરિકામાંથી આવે છે
સોશિયલ મીડિયા પર આજકલ અમેરિકાના એક વ્યક્તિની લિંક્ડઇન પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે એ વાયરલ પોસ્ટમાં એ વ્યક્તિએ તેની પુત્રીની આત્મહત્યાનું કારણ જણાવ્યું હતું. એ પોસ્ટમાં તેને કહ્યું હતું કે 'લાઈમ ડિસીઝ' (Lyme Disease) ના કારણે તેની દીકરીએ આત્મહત્યા કરી હતી. એ બીમારીનું સંક્રમણ છોકરીના મગજ સુધી ફેલાઈ ગયું હતું. આ પોસ્ટ પછી હવે સોશિયલ મીડિયા પર લાઇમ રોગ (Lyme Disease) ને લઇ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોરોના પછી હવે દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે કે આ નવો રોગ શું છે અને તે કેટલો ખતરનાક છે. 'લાઈમ ડિસીઝ' (Lyme Disease) એસોસિએશન મુજબ આ રોગ વિશ્વના 80 થી વધુ દેશોમાં ફેલાઈ ગયો છે અને આ દેશોની યાદીમાં ભારતનું નામ પણ સામેલ છે.
શું છે 'લાઈમ ડિસીઝ' (Lyme Disease)?
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)અનુસાર આ 'લાઈમ ડિસીઝ' (Lyme Disease) એ બેક્ટેરિયલ ઇન્ફેકશન છે જે સંક્રમિત કીડા (Blacklegged Ticks) ના કરડવાથી ફેલાઈ છે. જણાવી દઈએ કે આ ખૂબ જ ઝડપથી ફેલાતો રોગ છે. આ સાથે જ આ રોગના પ્રારંભિક લક્ષણો ખૂબ જ સાધારણ છે એટલે મોટાભાગના લોકો ધ્યાન ણથી આપતા. ધીરે ધીરે આ રોગ સાંધા, હૃદય અને નર્વસ સિસ્ટમમાં ફેલાય છે. જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. હાલ તો આ રોગના મોટાભાગના કેસો અમેરિકામાંથી આવે છે પણ ધીરે ધીરે બીજા દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. સંક્રમિત કીડા (Blacklegged Ticks) ડંખના 3 થી 30 દિવસ પછી આ રોગના લક્ષણો દેખાય છે.
Blacklegged ticks can spread more than just Lyme disease! From anaplasmosis to Powassan virus disease—preventing tick bites can keep you safe! Learn more: https://t.co/HbWavfFYlDpic.twitter.com/a2I6SXyXSI
— CDC Emerging Infections (@CDC_NCEZID) May 26, 2022
'લાઈમ ડિસીઝ' (Lyme Disease)નો ઈલાજ સંભવ છે?
'લાઈમ ડિસીઝ' (Lyme Disease)થી સંક્રમિત લોકો તેમની સારવાર એમના શરીરમાં દેખાતા લક્ષણોના આધારે કરવામાં આવે છે. વધુ પડતાં કેસમાં એન્ટીબાયોટીક્સ દવાઓથી થોડા અઠવાડિયામાં દર્દીઓ સ્વસ્થ થઈ જાય છે પણ જો આ સંક્રમણ મગજ અને હૃદયમાં ફેલાય જાય એ પછી તેને કંટ્રોલ કરવું અઘરું બની જાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિના મૃત્યુનું જોખમ ઘણું વધી જાય છે. ધ્યાનમાં લેવા જએવી વાત એ છે કે આ રોગ માટે હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી.