હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર સપ્તાહના સાત દિવસ કોઇને કોઇ દેવી દેવતાને સમર્પિત થાય છે. મંગળારે બજરંગબલીની પૂજા અર્ચના કરવાનો દિવસ હોય છે. શું તમે ક્યારેય ધ્યાનમાં લીધું છે કે મંગળવારના દિવસે હનુમાનજીને બૂંદીનો પ્રસાદ કેમ ચઢાવવામાં આવે છે. મંગળવારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ કારણ કે પૂજા સફળ થઇ શકે અને હનુમાનજી પ્રસન્ન રહે.
મંગળવારે અને શનિવારે હનુમાનજીની પૂજા કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કોઇ પણ કડવી વાતો ના બોલશો. આવું કરવાથી બજરંગબલી નારાજ થઇ શકે છે. આ ઉપરાંત મંગળવારે વાળ કે દાઢી કપાવશો નહીં.
હનુમાનજીને દૂધથી બનાવેલી મિઠાઇઓ મંગળવારના દિવસે પ્રસાદના રૂપમાં ચઢાવવામાં આવે નહીં. વાસ્તવમાં દૂધને ચંદ્રમાનો કારક માનવામાં આવે છે. ચંદ્રમાં અને મંગળ એકબીજાને વિરોધી હોય છે એટલા માટે મંગળવારે હનુમાનજીને બૂંદીના લાડુનો ભોગ ચઢાવવામાં આવે છે.
મંગળવારે વ્રત રાખનાર ભક્તોને મીઠાનું સેવન કરવું જોઇએ નહીં અને રાતમાં વ્રત તોડતી વખતે દહી અને દૂધની સાથે પરાઠા ખાવા જોઇએ.
મંગળવારે ભૂલથી પણ કાળા રંગના કપડાં પહેરવા જોઇએ નહીં. હનુમાનજીને લાલ રંગ ખૂબ પસંદ આવે છે એટલા માટે લાલ કપડાં પહેરો.