આજે સમગ્ર દેશમાં દશેરાનો તહેવાર ધામધૂમથી ઊજવાઇ રહ્યો છે. આ તહેવારનો ભારતમાં અલગ જ રંગ જોવા મળે છે. આ દિવસથી સંબંધિત ઘણી માન્યતાઓ પ્રચલિત છે જેમ કે શાસ્ત્રોની પૂજા રાવણ દહન બાદ મોટાના પગે લાગેની આશીર્વાદ લેવા વગેરે. એમાંથી એક છે દશેરાના દિવસે પાન ખાવું. ઘણા બધા લોકો એવા હશે જેની એવી માન્યતાઓ માટે જાણતા હશે નહીં.
માન્યતા અનુસાર આ દિવસે હનુમાન જી ને પાનનું બીડું ચઢાવવું બાદમાં એનું સેવન કરવું જોઇએ. કારણ કે કહેવામાં આવે છે પાન હનુમાનજીને ખૂબ પસંદ છે.
જ્યોતિષ અનુસાર પાનને જીતનું પ્રતીક માનવામાં આવ્યું છે. એની સાથે જ પાનના બીડાથી મતલબ હોય છે કે આપણે આ દિવસે સાચા રસ્તા પર ચાલવાનું બીડું ઊઠાવીએ છીએ. પાન પ્રેમનો પર્યાય છે. દશેરામાં રાવણ દહન બાદ પાનનું બીડું ખાવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે દશેરાના દિવસે પાન ખાઇને લોકો અસત્ય પર થયેલી જીતની ખુશી મનાવે છે.
જ્યોતિષ અુસાર પાન માન અને સમ્માનનું પ્રતીક છે. એટલા માટે દરેક શુભ કામમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. નિવરાત્રી પૂજન દરમિયાન પણ દેવી દુર્ગાને પાન સોપારી ચઢાવવનું વિધાન હોય છે.
શારદીય નવરાત્રીના સમયે સિઝન બદલાઇ રહી હોય છે એ દરમિયાન ઇન્ફેક્શન બીમારીઓ ફેલવાનું જોખમ સૌથી વધારે રહે છે. એવામાં આ પરંપરા લોકોની બિમારીઓની રક્ષા કરે છે.