કાળો દોરો પહેરવો આજના સમયમાં ફેશન બની ગયો છે. નાના બાળકોની સાથે આજકાલ મોટા લોકો પણ તેને પગમાં બાંધે છે. પરંતુ શું તમને ખબર છે કાળો દોરો બાંધવાના પણ નિયમો છે. આવો જાણીએ તેના વિશે...
ગમેતેમ ન બાંધી દો પગે કાળો દોરો
જાણો લો શું છે તેના નિયમ અને ફાયદા
જાણો શા માટે બાંધવામાં આવે છે પગ પર કાળો દોરો
દરેક કામને કરવા માટે અમુક કારણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો પહેરવાના પણ અમુક નિયમ હોય છે. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેનો ખરાબ પ્રભાવ તમારા પર પડી શકે છે. આવો જાણીએ કાળો દોરો બાંધતી વખતે કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કાળો દોરો બાંધવાના નિયમ
કાળા દોરાને હંમેશા 9 ગાંઠ બાંધીને જ પહેરવો જોઈએ. સાથે જ જે હાથ અથવા પગમાં કાળો દોરો હોય તો તે હાથ કે પગમાં કોઈ અન્ય રંગનો દોરો ન બાંધો.
કાળા દોરાને ફક્ત શુભ મુહૂર્તમાં જ બાંધવો જોઈએ. જો તમે શુભ સમય નથી ઓખળી શકતા તો તમે તેને કોઈ જ્યોતિષનો સંપર્ક કરીને બાંધો.
કાળો રંગ શનિ ગ્રહનો હોય છે. માટે કાળા દોરાને પહેરવાથી તમારી કુંડળીમાં શનિદોષના ગ્રહની સ્થિતિ કમજોર થઈ જાય છે.
તેને પહેર્યા બાદ દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવો જરૂરી છે. આમ કરવાથી તેનો પ્રભાવ વધી જશે. ગાયત્રી મંત્રનો પાઠ કરો. એક નિશ્ચિત સમય પર જ કરો.
તમે પોતાના ઘરના દરવાજા પર લીંબુની સાથે કાળો દોરો બાંધી શકો છો. આ પ્રકારે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નહીં કરે.
જે બાળકોની પ્રતિરોધક ક્ષમતા ખૂબ વધારે હોય છે. કાળો દોરો તેમના શરીરને બીમારીઓથી લડવાની તાકાત આપે છે.
કાળા રંગમાં ગરમીને અવશોષિત કરવાની શક્તિ હોય છે. આ પ્રકારે આ નકારાત્મક ઉર્જાઓની સૌથી મોટી ઢાલના રૂપમાં કાર્ય કરે છે.
આ લોકોને શનિ દોષના નકારાત્મક પ્રભાવોથી બચાવે છે. પગમાં બંધવાથી તમને જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
લોકોની ખરાબ નજરથી બચવા માટે કાળા દોરાને હાથ, પગ, ગળામાં પણ પહેવામાં આવે છે.
તમે લોકોની ખરાબ નજરથી બચવા માંગો છો તો કાળા દોરાને ધારણ કરી પોતાની રક્ષા કરી શકો છો.
કાળા દોરાને પગમાં બાંધવાની પરંપરા આપણી પ્રાચીન ઈતિહાસથી આવે છે. શાસ્ત્રો અનુસાર, કાળો દોરો પહેરવાના ઘણા ફાયદા છે.