નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબને સૌથી વધારે કોરોના કેસનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે આ 7 રાજ્યોના 60 જિલ્લામાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મહામારીથી મરનારા દર્દીઓની મોટી સંખ્યા આ જિલ્લામાં છે. આ 7 રાજ્યોમાં દેશના 66 ટકા કોવિડ કેસ જોવા મળ્યા છે. આ રાજ્યોમાં અત્યાર સુધી 77 ટકા લોકોના દર્દીઓના મોત થાય છે. પરંતુ આંકડા જણાવે છે કે કોરોનાથી દેશના 60 જ નહીં , 100 જિલ્લામાં ખતરો બનેલો છે.
આ મહિનામાં આ જિલ્લામાં 500 થી વધુના મોત થયા છે
દેશના સૌથી વધારે અસરગ્રસ્ત 32 જિલ્લા આ 7 રાજ્યોમાંથી બહાર
અમદાવાદ મૃત્યુદરમાં દેશમાં મોખરે
મહારાષ્ટ્રના નાગપુર, સાંગલી, સાતારા, અહમદનગર અને કોલ્હાપુર, ઉત્તર પ્રદેશના લખનૌ, પંજાબના લુધિયાના, કર્ણાટકના મૈસૂર, આંધ્ર પ્રદેશના ચિત્તુર અને યુપીના કાનપુરનગર છે જેમાં 500 થી વધારે લોકોના મોત થયા છે.
દેશના સૌથી વધારે અસરગ્રસ્ત 32 જિલ્લા આ 7 રાજ્યોમાંથી બહાર
દેશમાં કુલ 106 જિલ્લા એવા છે જ્યાં 10 હજારથી વધારે કોરોનાના કેસ છે જેમાં 32 જિલ્લા મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબની બહારના છે. 106માંથી 11 જિલ્લા એવા છે જ્યાં સપ્ટેમ્બરમાં 2 ગણા વધારે કેસ આવ્યા છે. પરંતુ એવા ફક્ત 4 જિલ્લા જ છે જે આ 7 રાજ્યોમાં આવે છે. સપ્ટેમ્બરમાં સૌથી વધારે ઝડપથી કોરોનાના કેસ જમ્મુમાં વધ્યા છે. જે સંખ્યાના 3 ગણા થઈ ગયા છે. જો 1 હાજરથી વધારે કેસ વાળા જિલ્લા પર ધ્યાન આપીએ તો ખબર પડશે કે 60 જિલ્લા આ 7 રાજ્યોમાંથી બહારના છે.
અમદાવાદ મૃત્યુદરમાં મોખરે
ગુજરાતના અમદાવાદમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુ દર દેશમાં સૌથી વધારે છે. જ્યાં 100માં 5 દર્દીના મોત થાય છે. મુંબઈમાં 4.5, લુધિયાણામાં 4.1, સોલાપુરમાં 3.3 અને કલકત્તામાં 3.1 ટકાના દરથી દર્દીઓના મોત થયા છે.
વધારે મૃત્યુદર વાળા 20 ટકા જિલ્લામાં 7 રાજ્યોમાંથી બહાર
દેશના 31 જિલ્લામાં 500થી વધારે મોત થયા છે જે 7 રાજ્યોમાં નથી. હવે 100થી વધારેના મોત વાળા 140 એવા જિલ્લાની ઓળખ કરવામાં આવી રહી છે કે જ્યાં પરિસ્થિતી વણસી રહી છે.
દેશમાં 512 જિલ્લામાં 1 હજારથી વધુ કેસ
દેશમાં 106 જિલ્લા એવા છે જ્યાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 10 હજારથી વધારે છે. મહારાષ્ટ્રના 19, તમિલનાડુના 17, કર્ણાટકના 13 , ઉત્તર પ્રદેશના 7, કેરળ અને પ. બંગાળના 5-5, ગુજરાત, પંજાબ, ઓડિસા અને રાજસ્થાનના 3-3, હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઝારખંડ અને મધ્ય પ્રદેશના 2-2 જિલ્લાજ્યારે બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દિલ્હી, પોન્ડિચેરી અને ઉત્તરાખંડના 1-1 જિલ્લા એવા છે જ્યાં કોરોનાના દર્દીઓના મોતની સંખ્યા 10 હજારને પાર છે.