શનિ દેવની કૃપા મેળવવા માટે તેમની પૂજા કરવી જોઈએ. શનિ થી સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. પરંતુ પૂજા કરવામાં જો એક ભૂલ પણ થઇ તો જીવન થઇ શકે છે બર્બાદ
ન્યાયના દેવતા શનિદેવ છે પૂજનીય
શનિદેવની મૂર્તિ કે ફોટો કેમ નથી રાખતા ઘરમાં ?
મૂર્તિ નહી પણ શિલા સ્વરુપના દર્શન લાભદાયી
શનિ દેવને ન્યાયના દેવતા કહેવાય છે. તેઓ કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિદેવની કૃપા થવાથી વ્યક્તિ ક્યાંયનો ક્યાંય પહોંચી જાય છે પરંતુ જો શનિ દેવ કોપાયમાન થાય તો વ્યક્તિનું ધનોતપનોત નીકળી જાય છે. શનિવાર સહિતના ખાસ પ્રસંગોમાં શનિદેવના મંદિરોમાં ભીડ જોવા મળે છે. શનિ દેવના ભક્તોની કોઇ કમી નથી પરંતુ શું તમે એવુ વિચાર્યુ કે આપણે ઘરમાં શનિદેવના ફોટા કેમ નથી રાખતા. શા માટે શનિદેવની મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી?
ઘરમાં કેમ શનિદેવનો ફોટો ન રખાય ?
સામાન્ય રીતે ઘરોમાં રાધા-કૃષ્ણ, શિવ પરિવાર, ગણેશજી અને ભગવાન રામ સિવાય તમામ દેવી-દેવતાઓની મૂર્તિઓ અથવા ફોટા હોય છે. આ સાથે ઘરમાં દરરોજ તેમની પૂજા કરવામાં આવે છે. પણ શનિદેવના ફોટા કે તેની મૂર્તિ તમે મંદિર સિવાય ક્યાંય જોઇ નહી હોય. આની પાછળ પણ એક કારણ છે. આવો જાણીએ.
શનિ દેવને મળ્યો છે આ શાપ
પૌરાણિક માન્યતા અનુસાર, શનિદેવને શ્રાપ આપવામાં આવ્યો હતો કે તે જેની પર નજર નાખશે તે અશુભ રહેશે, તેથી શનિની મૂર્તિ કે ફોટો ઘરમાં ન રાખવો જેથી લોકો તેમની નજરથી દૂર રહે. એટલું જ નહીં, શનિદેવની પૂજા કરતી વખતે પણ ક્યારેય તેમની મૂર્તિની સામે ઊભા રહીને તેમના દર્શન ન કરવા જોઈએ. તેના બદલે, શનિદેવના દર્શન હંમેશા મૂર્તિની જમણી કે ડાબી બાજુએ ઊભા રહીને કરવા જોઈએ.
આવી મૂર્તિની પૂજા કરવી શ્રેષ્ઠ છે
શનિદેવના દર્શનથી બચવા માટે શનિદેવની મૂર્તિને બદલે તેમના શિલા સ્વરૂપના દર્શન કરવા જોઈએ તે સારું છે. આ સિવાય પીપળના વૃક્ષની પૂજા કરવી, સરસવના તેલનો દીવો કરવો અથવા દાન કરવું એ પણ શનિદેવની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. શનિદેવ પણ ગરીબ, અસહાય લોકોની મદદ અને સેવા કરવાથી ખૂબ જ પ્રસન્ન થાય છે.