મોબાઇલ પર લાંબો સમય છે ગરદન ઝુકાવીને રહેતા લોકોમાં વાળ ખરવાની સમસ્યા થાય છે. તેનાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન ઘટે છે. વાળને પોષકતત્વો મળી શકતા નથી. વાળ નબળા બને છે
વાળ ખરવાની સમસ્યાથી આજનો દરેક યુવાન પરેશાન છે. આયુર્વેદમાં વાળને લઇને વિસ્તારપુર્વક વર્ણન છે. જેમકે વાળને ધોવાની યોગ્ય રીત કઇ છે, વાળને સ્વસ્થ રાખવાની રીતો કઇ છે. વાળની બિમારીના કારણ કયા છે. આયુર્વેદ નિષ્ણાતો જણાવે છે કે નાની ઉંમરમા વાળ કેમ ખરે છે. તેને રોકવા માટે અથવા સમસ્યા હળવી કરવા માટે કેટલાક ઉપાયો છે.
તમે સુઇને ઉઠો અને તમારી પથારીમાં, ઓશિકા પર કે પછી નહાતી વખતે કે વાળ ધોતી વખતે આસપાસ વાળ ખરેલા જોવા મળે તો સચેત થઇ જાવ. આયુર્વેદમાં એવુ કહેવાયુ છે કે રોજના 100 વાળ ખરવા સામાન્ય છે, પરંતુ આ 100 વાળ ફક્ત માથાના નહીં, આખા શરીરના. જો આનાથી પણ વધુ વાળ ખરી રહ્યા હોય તો ચેતી જવાની અને નિષ્ણાતની સલાહ લેવાની જરુર છે.
વાળ કેમ વધુ ખરે છે
વાળમાં વધુ પ્રમાણમાં શેમ્પુ, સાબુ કે તેલનો ઉપયોગ, કલર તેમજ સ્ટ્રેટનિંગથી પણ વાળ ખરે છે. વધુ માત્રામાં મીઠા કે લીંબુનો ઉપયોગ, સવારે ગરમ પાણી સાથે મધ લેવુ, માથામાં તેલથી મસાજ ન કરવો, સ્મોકિંગ, ઉંઘની કમી વગેરેથી વાળ ખરે છે. વાળમાં તેલ લગાવીને લાંબો સમય ન રાખો. તેનાથી વાળમાં ઘુળ, માટી અને રજકણો ચોંટે છે. મોબાઇલ પર કલાકો સુધી ચિપકેલા રહેવાથી પણ વાળ ખરે છે. મોબાઇલ પર લાંબો સમય નીચે જોઇને કામ કરનારા લોકોને આ સમસ્યા વધુ થાય છે. તેનાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન ઘટે છે. વાળને પોષકતત્વો મળી શકતા નથી.
45 વર્ષ બાદ ટાલિયાપણાની સમસ્યા
વ્યક્તિમાં વાત, પિત્ત અને કફ એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ હોય છે. આયુર્વેદ અનુસાર 45 વર્ષ બાદ પિત્ત પ્રકૃતિના લોકોમાં ટાલિયાપણાની સમસ્યા અચુક આવે છે. આ બિમારી નથી. ઘણી વાર ઇલાજથી પણ લાભ મળતો નથી. પરંતુ વાયુ અને કફ પ્રકૃતિના લોકોમાં ઇલાજથી આ સમસ્યા રોકી શકાય છે.
વાળ ધોવાની રીત
વધુ શેમ્પુ અને સાબુથી વાળ ધોવાથી વાળ થોડો સમય મુલાયમ રહી શકે છે, પરંતુ ડેમેજ પણ થાય છે. સાબુ-શેમ્પુ 7થી 15 દિવસે લગાવો. વાળ શિકાકાઇ, અરીઠા, ત્રિફળા અને દુધ કે છાશથી ધોવો. ગરમ કે ઠંડા પાણીના બદલે સામાન્ય પાણીનો ઉપયોગ કરો.
હેલ્ધી હેર માટે શું કરશો
શીર્ષાસન ઉત્તમ આસન છે. તેનાથી માથાના ભાગને પર્યાપ્ત બ્લડ મળે છે. પગને સ્પર્શીને પ્રણામ કરવા પાછળ પણ આ કારણ હતુ. આ ઉપરાંત જે આસનો સર્ક્યુલેશનને માથા તરફ આગળ વધારે છે તેનાથી પણ લાભ થાય છે. જેમકે પવનમુક્તાસન, પશ્વિમોત્તાસન.
આ ઉપાયો પણ અજમાવો
રોજ નારિયેળનો એક ટુકડો ખાવ. ગોળ, દ્રાક્ષ, ઘી અને ખજુર પણ ખાવ
ડેન્ડ્રફની સમસ્યા હોય તો છાશથી વાળ ધુઓ. પછી હુંફાળા પાણીથી ધોઇ લો.
વાળમાં શુધ્ધ નારિયેળ તેલ લગાવો. બદામ, તલ કે મગફળીનુ તેલ પણ લગાવી શકો છો.
આયુર્વેદ અનુસાર રોજ માત્ર ચાર ટીપા તેલ જ વાળમાં લગાવવુ જોઇએ.