ગુજરાત સરકારે 5 મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરામાં 100 મીટર અથવા તેનાથી ઊંચા મકાનોની પરવાનગી આપી દીધી છે.
આ પાછળનું મુખ્ય કારણ શું છે?
આ 5 શહેરોના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટે કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (CGDCR) 2017 સાથે મળીને ગુજરાતના કન્સ્ટ્રક્શનમાં આ નવો ઇતિહાસ શરુ કર્યો છે.
આમ કરવા પાછળનું કારણ શું છે?
જાણકારોના મતે આવું કરવાનો મુખ્ય હેતુ શહેરમાં આઇકોનિક બિલ્ડીંગ્સ બનાવવાનો છે. આમ કરવાથી રિયલ એસ્ટેટમાં FDI વધશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત શહેરોમાં જમીનની કમી પડી રહી છે. શહેરનો ક્ષિતિજાકાર વિકાસ કરવો વધુ ને વધુ મોંઘો થઇ રહ્યો છે.
અત્યાર સુધી હાઈટમાં શું નિયંત્રણ હતા?
2001ના ભૂકંપ બાદ રાજ્યમાં 45 મીટરની લિમિટ હતી. આ લિમિટ વધીને 2017માં 70 મીટર 22-23 માળ કરવામાં આવી હતી.
હવે નવી પોલિસી પ્રમાણે બિલ્ડર 2500 સ્કવેર મીટરના પ્લોટમાં 150 મીટરની ઊંચાઈનું મકાન બનાવી શકે છે. જો પ્લોટ 3500 સ્કવેર મીટરનો હોય તો તે ગમે તેટલી હાઈટનું મકાન બાંધી શકે છે.
શું આ પગલાંથી હાઉસિંગના ભાવ ઘટશે?
નિષ્ણાઓના મતે આવા મકાનોનું બાંધકામ મોંઘુ થશે. તેઓ જણાવે છે કે આવી ઇમારતો મોટા ભાગે લકઝરી ભોગવવા ઇચ્છતા રેસિડેન્ટ્સ અને કોર્પોરેટ માટે હોય છે. આવા મકાનોની મેઇન્ટેનન્સ કોસ્ટ પણ વધારે હોય છે. જેમ જેમ મકાન ઊંચું હોય તેમ તેની બારીઓ અને કાચ પણ વધુ જાડા કરવા પડે છે. આ ઉપરાંત દર 5 કે 6 માળ થાય એવી મજૂરીના ભાવમાં 5-7% જેટલો વધારો થાય છે. મોટા ભાગે આવા મકાનો બારીમાંથી સરસ વ્યુ જોવા માટે અને પ્રદૂષણના કારણો માટે હોય છે.
ભૂકંપને લગતા પરિબળો
અમદાવાદ અને ગાંધીનગર કચ્છની Cambay ભૂકંપ ફોલ્ટ લાઈનથી નજીક છે. કચ્છમાં તો એક માળથી વધારે ઊંચા મકાનોને પરવાનગી જ નથી. આ યોજનામાં તમામ બહુમાળી ઇમારતોએ નેશનલ બિલ્ડીંગ કોડની ડિઝાઇન ગાઈડલાઇન્સનું પાલન કરવું પડશે.
બિલ્ડરે શું ધ્યાનમાં રાખવું પડશે?
ગગનચુંબી ઇમારતમાં સ્ટ્રક્ચરની સેફટી, ફાયર સેફટી અને અન્ય એસેસમેન્ટ ખૂબ બારીકાઈથી ચકાસવા પડે એવા એવા છે. આથી આવી ઇમારતોને સામાન્ય પ્રોજેક્ટ કરતા અપ્રુવલમાં વધુ ટાઈમ લાગુ પડે એમ છે.
ઊંચા બિલ્ડીંગમાં શેનું ધ્યાન રાખવું જરૂરી છે?
ઊંચી ઇમારતો જેમાં પવનનો લોડ અને ધરતીકંપ સામેની ક્ષમતા જેવા પરિબળો ખૂબ મહત્વના હોય છે તેમાં ફાઉન્ડેશન અને સ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ ખૂબ અગત્યની છે. આ મકાનોનું ફાઉન્ડેશન 30 ફુટથી 300 ફુટ જેટલું ઊંડું હોઈ શકે છે જે નીચેની માટીના પ્રકાર ઉપર આધાર રાખે છે.
ઇમારતના સ્ટ્ર્કચરની મજબૂતી માટે 250 મીટર સુધી સિમેન્ટ કોન્ક્રીટની દીવાલો અને સ્ટીલના સુપર સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે.