દિવાળી પર ઘરમાં ગણેશ-લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આજે અમે તમને જણાવશું કે ગણેશ-લક્ષ્મીની પૂજા એક સાથે કરવા પાછળનું કારણ શું છે
દિવાળી પર ઘરમાં ગણેશ-લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે
ગણેશ-લક્ષ્મીની સાથે પૂજા કરવાનું કારણ શું છે
દિવાળીના તહેવારમાં તમામ લોકોના ઘરમાં ગણેશ-લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે પણ ઘણા ઓછા લોકો હશે જેઓ બંનેની સાથે પૂજા કરવાનું કારણ જાણતા હશે. જો ગણેશજી મા લક્ષ્મીના પુત્રવત છે તો દિવાળી પર બંનેની પૂજા શા માટે કરવામાં આવે છે? આજે અમે તમને ગણેશજીની પૂજા કરવાનું કારણ જાણવશું..
કાર્યોને કોઈ વિધ્ન વીના પુર્ણ કરવા માટે
દિવાળી પર આપણે ધનની દેવી મા લક્ષ્મીની પૂજા કરીએ છીએ પણ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન ગણેશ વિઘ્નોનો દૂર કરનાર અને રિદ્ધિ-સિદ્ધિ પ્રદાન કરનાર છે. અને એટલા માટે જ દરેક શુભ કાર્યની શરૂઆતમાં ગણેશજીની પહેલું સ્થાન આપવામાં આવે છે. ગણેશને પહેલા પૂજવાનું વરદાન છે અને આ વરદાન તેમના પિતા ભોલેનાતે આપ્યું હતું. ગણેશજીની પૂજા કર્યા વિના કોઈપણ દેવતાની પૂજા શરૂ થતી નથી અને એ પૂજા કોઈ દેવી-દેવતા સ્વીકારતા પણ નથી.
આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ કાર્ય શરૂ કરતી વખતે લગભગ તેમાં અવરોધો આવવાની સંભાવના રહે છે અને એટલા માટે જ એવું માનવામાં આવે છે વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. ગણેશજીની પૂજા પછી એવું માનવામાં આવે છે કે કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે. એટલા માટે જ લક્ષ્મી પૂજા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. શસ્ત્રો અનુસાર ગણેશને વિદ્યા અને બુદ્ધિના સ્વામી પણ કહેવામાં આવે છે અને લક્ષ્મીજી સાથે ગણેશજીની પૂજા કરવાનું સૌથી મોટું કારણ એ છે કે ધનની સાથે-સાથે બુદ્ધિ પણ હંમેશા તમારી સાથે રહેવી જોઈએ.
બુધ્ધિથી વિવેક મળે છે
પૈસા હોવાનો લાભ ત્યારે જ થાય છે જ્યારે તેનો સદુપયોગ કરવામાં આવે. આપણે ઘણી વખત એવું જોયું હશે કે પૈસા આવે ત્યારે માણસનો અંતરાત્મા અને તેનું વિવેક નાશ પામે છે. એ સમયે ગણેશજી સારી બુદ્ધિ આપે છે અને તે સદબુધ્ધિને લઈને આપણે ધન કમાઈને મળેલા ધનનો સદુપયોગ કરી શકીએ છીએ. એ માનીને દરેક ઘરે લક્ષ્મીજીની સાથે ગણેશજીની પણ સ્થાપના કરવામાં આવે છે.