શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઇ ચુક્યો છે અને તમામ લોકો પોતાના પિતરોને શ્રાદ્ધ કરીને એમને પ્રસન્ન કરવામાં લાગેલા છે. શ્રાદ્ધના હાલના દિવસોમાં પૂરી પૂજા વિધિની સાથે સસમ્માન પોતાના પિતરોને ભોગ લગાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રાદ્ધ કરવાની આ પ્રથા કેવી રીતે શરૂ થઇ અને સર્વપ્રથમ શ્રાદ્ધ કોણે કર્યો હતો. જો નથી જાણતા તો અમે તમને જણાવીએ એનાથી જોડાયેલી પરંપરા.
મહાભારત અનુસાર સૌથી પહેલા શ્રાદ્ધનો ઉપદેશ મહર્ષિ નિમિને મહાતપસ્વી અત્રિ મુનિએ આપ્યો હતો. આ પ્રકારે પહેલા નિમિએ શ્રાદ્ધનો આરંભ કર્યો ત્યારબાદ અન્ય મહર્ષિ પણ શ્રાદ્ધ કરવા લાગ્યા. ધીરે ધીરે ચારો વર્ણોના લોકો શ્રાદ્ધમાં પિતરોને અન્ન આપવા લાગ્યા. સતત શ્રાદ્ધનું ભોજન કરતાં દેવતા અને પિતર પૂર્ણ તૃપ્ત થઇ ગયા.
શ્રાદ્ધનું ભોજન સતત કરવાથી પિતરોને ભોજન ના પચવાનો રોગ થઇ ગયો અને એનાથી એમને કષ્ટ થવા લાગ્યું. ત્યારે એ બ્રહ્માજીની પાસે ગયા અને એમને કહ્યું કે શ્રાદ્ધનું અન્ન ખાતા અમને અજીર્ણ રોગ થઇ ગયો છે એનાથી અમને કષ્ટ થઇ રહ્યો છે તમે અમારું કલ્યાણ કરો.
દેવતાઓની વાત સાંભળીને બ્રહ્માજી બોલ્યા મારી નજીક આ અગ્નિદેવ બેઠા છે. આ જ તમારું કલ્યાણ કરશે. અગ્નિદેવ બોલ્યા દેવતાઓ અને પિતરો હવેથી શ્રાદ્ધમાં આપણે લોકો સાથે જ ભોજવ કરીશું. મારી સાથેરહેવાથી તમારો આ રોગ દૂર થઇ જશે. આ સાંભળીને દેવતા પ્રસન્ન થયા. આ કારણથી શ્રાદ્ધમાં સૌથી પહેલા અગ્નિને ભાગ આપવામાં આવે છે.