અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. 5 ઓગસ્ટના રોજ રામ જન્મ ભૂમિનો કાર્યક્રમ થવાનો છે. ભૂમિ પૂજનમાં નક્ષત્રથી લઇને તમામ માન્યતાઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગયાની ફાલ્ગુ નદીની રેતી મંગાવવામાં આવી છે, જે રામ મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવાશે.
રામ મંદિર નિર્માણમાં ફલ્ગુ નદીનું મહત્વ
સવા કિલો સોનાની ઇંટનો થશે ઉપયોગ
સાત સમુદ્રનું પાણી કરવામાં આવશે યુઝ
રામ મંદિર ભૂમિ પૂજન દરમિયાન ગર્ભગૃહની અંદર ચાંદીની પાંચ ઇંટનો ઉપયોગ કરવામાં આવશે. હિન્દુ માન્યતા અનુસાર આ પાંચ ઇંટ પાંચ નક્ષત્રોનું પ્રતિક છે. માનવામાં આવે છે કે અભિજીત મૂર્હૂતમાં રામ ભગવાનનો જન્મ થયો હતો તે પ્રમાણે જ ભૂમિ-પૂજનનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગયા સાથે પણ રામ ભગવાનનો નાતો છે જેના કારણે ત્યાંની પવિત્ર ફલ્ગુ નદીની રેતી ઉપયોગમાં લેવામાં આવશે.
શું છે ફાલ્ગુ નદી સાથે કનેક્શન
ફલ્ગુ નદીના તટ પર ભગવાન રામે સીતા અને લક્ષ્મણ સાથે દશરથ રાજાનું પિંડદાન કર્યું હતું. બસ આ જ કારણ છે કે ફલ્ગુ નદીની રેતી અયોધ્યામાં બનનાર રામ મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવશે.
ગયા વિશ્વ હિન્દુ પરિષદ વિભાગના અર્ચક પુરોહિત પ્રેમનાથ ટઇયાએ જણાવ્યું કે, અયોધ્યા મંદિરમાં સાત સમુદ્રોનું પાણી, દેશની દરેક ધાર્મિક નદીઓનું પાણી, પ્રમુખ ધામોની માટી વગેરેનો ઉપયોગ કરવામાં આવશે. ગયા ધામથી સવા કિલો ચાંદીની ઇંટ પણ અયોધ્યા રવાના થઇ ગઇ છે.
તમને જણાવી દઇએ કે, ફલ્ગુ નદી પર મોટી સંખ્યામાં લોકો પિંડદાન કરવા માટે જાય છે. રાજા રામે પણ તેમના પિતાનું પિંડદાન ફલ્ગુ નદીમાં જ કર્યું હતુ, આ કારણને કારણે જ ફલ્ગુ નદીની રેતી રામ મંદિર નિર્માણમાં લેવામાં આવશે.