માર્ગશીષ શુક્લ પંચમીએ ભગવાન રામ અને માતા સીતાના લગ્ન થયા હતા. માટે આ તિથિને શ્રીરામના વિવાહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. જેને વિવાહ પંચમી પણ કહેવામાં આવે છે પરંતુ તમને ખબર છે કે આ દિવસે લોકો લગ્ન ન કરવાને લોકો પ્રાધાન્ય આપે છે.
વિવાહ પંચમીના દિવસે લગ્ન કરવા અશુભ
રામ-સીતાએ કર્યા હતા વિવાહ પંચમીના રોજ લગ્ન
નેપાળમાં લોકો વિવાહ પંચમીના દિવસે નથી કરાવતા લગ્ન
કેમ નથી કરતા લગ્ન
કેટલીક જગ્યાએ આ તિથિએ વિવાહ કરવાને ખુબ જ અશુભ માનવામાં આવે છે. મિથિલાચંદ અને નેપાળમાં આ દિવસે કન્યાના વિવાહને ટાળવામાં આવે છે. લોકોનું માનવું છે કે આ તિથિએ વિવાહ કરવાથી પ્રભુ શ્રીરામ અને માતા સીતાને ઘણા દુઃખો સહન કરવા પડ્યા હતા.
દુઃખથી ભર્યુ હતુ જીવન
પ્રભુ શ્રીરામ અને માતા સિતાનો વિવાહ થયા બાદ 14 વર્ષનો વનવાસ સહન કરવો પડ્યો અને વનવાસ દરમિયાન તેમને કેટલાય દુઃખ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. લંકાપતિ રાવણ પર વિજય મેળવ્યા બાદ પણ તેમને એક સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ ન હતું.
કેટલાક લોકોનું માનવું છે કે જો આ દિવસે લગ્ન કરવામાં આવે તો વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થઇ જાય છે. સંપૂર્ણ રામચરિત માનસનો પાઠ કરવાથી પારિવારિક જીવન સુખમય પસાર થાય છે.
સવારે સ્નાન કર્યા બાદ શ્રીરામ વિવાહનો સંકલ્પ લો અને સ્નાન કરીને વિવાહની ક્રિયા શરૂ કરો. ભગવાન રામ અને સીતાની સ્થાપના કરો. ભગવાન રામને પીળા અને માતા જાનકીને લાલ વસ્ત્ર અર્પણ કરો. બાદમાં તેમની આરતી કરો અને તે વસ્ત્રો તમારી પાસે જ રાખી લો.