મુંબઇઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે એક વાર ફરી પોતાના આક્રામક નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા છે. પુણેમાં એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે મુસ્લિમોને અઝાન દરમિયાન લાઉડ સ્પીકરની જરૂર કેમ? જો નમાઝ પઢવી છે તો ઘરમાં પણ પઢી શકો છો.
એટલુ જ નહીં રાજ ઠાકરેએ કહ્યું કે હું મહારાષ્ટ્ર અને દેશના મુસ્લિમોને ઘણીવાર કહું છું કે ઘરમાં નમાઝ પઢવી જોઇએ શા માટે રસ્તા જામ કરો છો. ઠાકરેએ કહ્યું કે દરેક આના પર ધ્યાન આપશે તો દેશમાં સંઘર્ષ નહીં થાય.
ઠાકરેએ કહ્યું કે હું કોઇ જ્યોતિષ નથી પરંતુ જે મેં કહ્યું છે તે થયું છે. તેમણે કહ્યું કે મે પહેલા પણ કહ્યું હતું કે ચૂંટણી પહેલા ભાજપવાળા રામ મંદિરનો મુદ્દો ઉઠાવશે.
હવે ચાર વર્ષ બાદ ભગવાન રામની યાદ આવી છે રામ મંદિર બનવું જોઇએ પરંતુ ચૂંટણી બાદ. જ્યારે ભાજપ સરકારમાં આવી ત્યારે જ રામ મંદિર બનવું જોઇતું હતું.