ખોરાક તો આપણા શરીરને એનર્જી આપે છે તો જમ્યા પછી તુરંત ઊંઘ કેમ આવે છે? આ સવાલનો જવાબ અમે તમને જણાવશું.
જમ્યા પછી તુરંત ઊંઘ કેમ આવે છે?
કેવા ખોરાકથી આવે છે નિંદર
શરીરમાં અચાનક થાક અનુભવાયને નિંદર આવવા લાગે
બપોરે જમ્યા પછી ઊંઘ આવે છે. આ સમસ્યા આજ કાલ દરેક લોકોમાં જોવા મળે છે. પણ તેની પાછળનું કારણ શું છે એ ઘણા ઓછા લોકોને ખબર હશે. ખોરાક તો આપણા શરીરને એનર્જી આપે છે તો જમ્યા પછી તુરંત ઊંઘ કેમ આવે છે? જો તમને પણ આ સવાલનો જવાબ નથી ખબર તો ચિંતા ન કરતાં અમે તમને જણાવશું.
જમ્યા પછી ઊંઘ આવવાનું મહત્વનું કારણ
હેલ્થ ટેક કંપનીના ફૂડ માર્બલ ન્યુટ્રિશનિસ્ટ એક્સપર્ટ અને સાયન્ટિસ્ટ ડૉ. ક્લેર શોર્ટ આ વિશે ઘણી રિસર્ચ પછી જણાવ્યું હતું કે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે આપણા આંતરડા સહિત આખું શરીર કામ કરવાનું શરૂ કરી દે છે. બ્લડ સુગર લેવલમાં ઘટાડો એ જમ્યા પછી ઊંઘ આવવાનું મહત્વનું કારણ હોય શકે છે. જ્યારે આપણે કોઈ ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણું બ્લડ સુગર વધે છે અને પછી ઝડપથી ઘટી જાય છે. આ કારણે જ શરીરમાં અચાનક થાક અનુભવાય છે અને નિંદર આવવા લાગે છે.
હોર્મોન્સ પણ હોય શકે છે કારણ
બ્લડ સુગર લેવલમાં ઘટાડો જ નહીં પણ જમ્યા પછી નિંદર આવવાની પાછળ આપણા શરીરના હોર્મોન્સ પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. ક્યારેક ક્યારેક આપણા શરીરમાં સેરોટોનિનના જલ્દી બનવા લાગે છે અને અચાનક તેનું સ્તર વધી જાય છે. એ હોર્મોન્સના વધતાં સ્તરને કારણે આપણે નિંદર આવવા લાગે છે. સેરોટોનિન આપણા મૂડ અને સ્લીપ સાઇકલમાં મહત્વની ભૂમિકા નિભાવે છે એટલા માટે જ જમ્યા પછી અચાનક જ્યારે તેના સ્તરમાં વધારો થવા લાગે છે ત્યારે નિંદર આવે છે.
કેવા ખોરાકથી આવે છે નિંદર
એમીનો એસિડથી ભરપૂર ખોરાક ખાવાથી નિંદર આવે છે. કારણકે તે સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો કરે છે. સાથે જ પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે ચીઝ, ઈંડા અને ટોફુ પણ તેમાં વધારો કરે છે. અને તેને કારણે જમ્યા પછી ઊંઘ આવે છે.
આવો ખોરાક ખાવાથી નહીં આવે ઊંઘ
જમ્યા પછી ઊંઘ ન આવે એવા ખોરાકનું લીસ્ટ બનાવવું ઘણું મુશ્કેલ કામ છે પણ જમવામાં જો હાઇ ફાઈબર ફૂડ ઉમેરવામાં આવે તો બ્લડ સુગર લેવલ ઠીક રહે છે અને તેને કારણે જમ્યા પછી ઊંઘ નથી આવતી.