ચૂંટણીના માહોલમાં રાજકીય પ્રહાર તેજ બન્યા છે. છેલ્લા ઘણાં સમયથી રાજકીય પક્ષોના નિશાને ગુજરાતીઓ આવે છે. પ્રધાનમંત્રી કે ગૃહમંત્રીની છબી ખરડાય તે રીતે પ્રહાર થાય છે. PM અને ગૃહમંત્રીના નામે ગુજરાતીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે.
ચૂંટણીના માહોલમાં રાજકીય પ્રહાર તેજ બન્યા છે
છેલ્લા ઘણાં સમયથી રાજકીય પક્ષોના નિશાને ગુજરાતીઓ આવે છે
પ્રધાનમંત્રી કે ગૃહમંત્રીની છબી ખરડાય તે રીતે પ્રહાર થાય છે
વિરોધ વગરનું રાજકારણ શકય નથી. રાજકારણમાં આઝાદી પછી કેટલાક દાયકા એવા વીત્યા કે જેમાં નીતિમત્તાનું સ્તર ઘણું ઉંચું હતું. રાજકીય હરિફો પણ એકબીજાને માન આપતા અને વ્યાજબી વિરોધ હોય તો સહર્ષ સ્વીકાર કરતા. પંડિત નહેરુએ યુવાન અટલજી માટે કરેલા વખાણ હોય કે પછી પી.વી.નરસિંમ્હા રાવે બલૂચિસ્તાન મોકલેલા ભારતીય પ્રતિનિધિમંડળમાં અટલજીને સ્થાન આપવાની વાત હોય, આ તમામ ગુણ એક રાજપુરૂષને છાજે એવા હતા. સમય બદલાવાની સાથે રાજકારણનું સ્તર પણ બદલાયું અને હવે છબીને નુકસાન પહોંચે એ હદે વ્યક્તિગત પ્રહાર વધ્યા.
2014 પછી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રીય સ્તરે જે કદ વધ્યું તેમાં પીએમ ઉપરના વ્યક્તિગત પ્રહાર ગરિમા ભંગ કરે તેવા હતા. હવે એ ટ્રેન્ડ ચાલ્યો છે કે જેમાં પ્રધાનમંત્રી કે અમિત શાહ તો ઠીક પરંતુ સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. ગુજરાતી માટે આપતિજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. અને આવા શબ્દપ્રયોગ કોઈ સામાન્ય કે રસ્તે ચાલતા વ્યક્તિ નહીં પણ રાષ્ટ્રીય સ્તરના નેતાઓ કરે ત્યારે નવાઈ જરૂર લાગે. રાજકીય હરિફાઈમાં વિરોધને આવકાર છે પણ કોઈની છબી ખરડાય કે કોઈ ચોક્કસ પ્રદેશ અને તે પ્રદેશના રહેવાસીની છબીને નુકસાન પહોંચે તે કેટલી હદે યોગ્ય કહેવાય. હવે ધીમે-ધીમે પ્રધાનમંત્રીનો વિરોધ ગુજરાતીઓનો વિરોધ કેમ બની જાય છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે ફરિયાદ થઈ
ગુજરાતીઓને ઠગ કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ થઈ
22 માર્ચે તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું
તાજેતરનો મામલો શું છે?
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે ફરિયાદ થઈ. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ થઈ. 22 માર્ચે તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું
IPCની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ થઈ. અરજદારની દલીલ હતી કે ગુજરાતીઓની છબી ખરડાઈ છે. તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે જેને આવું નિવેદન શોભતું નથી. સમગ્ર મામલે 1મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
રાજકીય હરિફો અવારનવાર પ્રધાનમંત્રી મોદી ઉપર પ્રહાર કરતા રહે છે
હવે પ્રધાનમંત્રીનો વિરોધ ગુજરાતીઓ સુધી પહોંચ્યો છે
તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM ઉપર પ્રહાર કર્યા
ખડગેએ કહ્યું કે પ્રધાનમંત્રી ઝેરી સાપ છે જેને ચાટશો તો તમારુ મૃત્યુ થશે
PM અને ગુજરાતીની છબી ખરડાવાનો પ્રયાસ
રાજકીય હરિફો અવારનવાર પ્રધાનમંત્રી મોદી ઉપર પ્રહાર કરતા રહે છે. હવે પ્રધાનમંત્રીનો વિરોધ ગુજરાતીઓ સુધી પહોંચ્યો છે. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM ઉપર પ્રહાર કર્યા. ખડગેએ કહ્યું કે પ્રધાનમંત્રી ઝેરી સાપ છે જેને ચાટશો તો તમારુ મૃત્યુ થશે. બાદમાં ખડગેએ ફેરવી તોળ્યું અને કહ્યું કે તેનો મતલબ વિચારધારા સાથે હતો. આ પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ખડગેએ PM પર પ્રહાર કર્યા હતા. ખડગેએ પ્રધાનમંત્રીને દસ માથાવાળા રાવણ ગણાવ્યા હતા. આ પહેલા કોંગ્રેસના નેતાઓએ પ્રધાનમંત્રી વિરુદ્ધ આપતિજનક નારા લગાવ્યા હતા.
કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત વિરોધ ઉગ્ર બન્યો
અમુલ બ્રાન્ડના કર્ણાટકમાં આગમન સામે વિરોધ કરવામાં આવ્યો
એવો આરોપ મુકાયો કે કર્ણાટકની નંદિની બ્રાન્ડને ખતમ કરવાનો કારસો છે
સોશિયલ મીડિયામાં પણ અમુલ વિરુદ્ધ ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો
ગુજરાત અને ગુજરાતીઓનો વિરોધ કેમ?
કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત વિરોધ ઉગ્ર બન્યો. અમુલ બ્રાન્ડના કર્ણાટકમાં આગમન સામે વિરોધ કરવામાં આવ્યો. એવો આરોપ મુકાયો કે કર્ણાટકની નંદિની બ્રાન્ડને ખતમ કરવાનો કારસો છે. સોશિયલ મીડિયામાં પણ અમુલ વિરુદ્ધ ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો. કોંગ્રેસના નેતાઓ પણ અમુલના વિરોધમાં કૂદી પડ્યા. કોંગ્રેસે ગુજરાત મોડલ નથી જોઈતું એ મતલબના નિવેદન આપ્યા. મહાઠગ કિરણ પટેલના પકડાયા બાદ પણ ગુજરાતીના વિરોધનો ટ્રેન્ડ ચાલ્યો છે. તેજસ્વી યાદવે કહ્યું ગુજરાતી ઠગ હોય છે. રાહુલ ગાંધીએ પણ અદાણી-અંબાણીને છાશવારે ટાર્ગેટ કર્યા છે. અદાણી જૂથ, અંબાણી જૂથના નામે પણ ગુજરાતીઓને ટાર્ગેટ કરાય છે. મહારાષ્ટ્રમાં રાજકીય લાભ લેવા રાજ ઠાકરે પણ ગુજરાતના વિરોધમાં કૂદી પડે છે.
શરદ પવારની વાતનો મર્મ સમજો
શરદ પવારે તાજેતરમાં ઉદ્યોગ ગૃહને ટાર્ગેટ કરવા સામે સૂચક નિવેદન આપ્યું હતું
આ નિવેદન એ સમયે હતું જયારે રાહુલ ગાંધી અદાણી જૂથને ટાર્ગેટ કરી રહ્યા હતા
શરદ પવારે સ્પષ્ટ કહ્યું કે સરકારને ઘેરવા મોટા ઉદ્યોગ જૂથને ઘેરવા નવી વાત નથી
શરદ પવારે કહ્યું કે તે રાજનીતિમાં નવા હતા ત્યારે ટાટા-બિરલાનું નામ લેતા હતા
શરદ પવારે એમ પણ કહ્યું કે અમને મોડે-મોડે બંને જૂથનું યોગદાન સમજાયું
હાલ એ સમય ચાલે છે કે જયારે અદાણી-અંબાણીને ટાર્ગેટ કરવામાં આવે છે
શરદ પવારે કહ્યું કે પુરાવા વગર મોટા ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરવા યોગ્ય નથી
શરદ પવારે એમ પણ કહ્યું કે કારણ વગર ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરવાથી કંઈ નહીં વળે