સપનાઓને લઇને હંમેશાથી દુનિયા રોમાંચિત જ રહી છે. સપના એટલે જાણે બીજી દુનિયાની બારી, પણ તમને ખબર છે કે મરી ચૂકેલા લોકો સપનામાં કેમ આવે છે?
મૃત વ્યક્તિ સપનામાં આવે તો શું સમજવુ ?
સપના હંમેશા જુદા જુદા આવતા હોય છે
એકનુ એક સપનુ વારે ઘડિયે આવે તો?
સપનાની દુનિયામાં ઘણી બધી વ્યાખ્યા છે. સપના આપણી આત્માને અભિવ્યક્ત કરે છે અને આપણા વ્યવહાર વિષે પણ ઘણી વાતો કહી જાય છે.
મરેલા લોકો સપનામાં આવે છે
ખાસ કરીને આપણા સંબંધીઓ જે મરી ચૂક્યા છે તે આપણા સપનામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે ક્યારેય મરેલા લોકો જીવતા લોકોનો સંપર્ક નથી કરી શકતા. માટે મૃત લોકો આપણી સાથે ઉંઘમાં વાતો કરે છે જ્યારે આપણી મોટાભાગની ઇન્દ્રીઓ નિષ્ક્રિય હોય છે.
મનોવૈજ્ઞાનિક કારણો
કેટલીક સ્મૃતિઓના કારણે મૃત લોકો આપણા સપનામાં આવે છે. મૃત લોકો સપનામાં આવે તો આપણા દુઃખ અને પશ્ચાતાપની ભાવનાને અભિવ્યક્ત કરે છે.
આધ્યાત્મિક કારક
આધ્યાત્મિક કારણોથી કોઇ મરેલુ માણસ તમારા સપનામાં આવેલા છે. કેટલાક લોકોની મોત સમય પહેલા જ થઇ જતી હોય છે. તેમની ઘણી ઇચ્છાઓ બાકી રહી જતી હોય છે અને તેવા લોકો હંમેશા તમારી પાસે સપનામાં આવીને મદદ માંગતા હોય છે.
કેવી રીતે સમજશો સપનાઓના અર્થ
સૌથી પહેલા જાણી લો કે મરેલા લોકો સપનામાં આવે તો તે કોઇ ચિંતાની વાત નથી. જો મૃત વ્યક્તિ તમારાથી નજીક હશે તો તેમનુ યાદ આવવુ સ્વાભાવિક છે. એક જ સપનુ વારે વારે આવે તો સમજવુ કે તે વ્યક્તિ તમારી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
અસામયિક મોત
જે લોકો વૃદ્ધ થઇ જાય છે અથવા તો બિમાર થઇને મરે છે તે લોકો મૃત્યુ માટે તૈયાર હોય છે પરંતુ જે લોકોની મોત અપ્રાકૃતિકરૂપે થાય છે, જેમકે મર્ડર કે એક્સિડેન્ટ તે લોકોને જલ્દી મુક્તિ નથી મળતી.
કેવી રીતે કરશો મદદ
જો તમને એક જ સપનુ વારે ઘડિયે આવે છે તો તમે પુજારી કે પંડિતને સંપર્ક કરીને તેમની મદદ કરી શકો છો. જેથી જો તેમની આત્મા ભટકતી હશે તો તેને મુક્તિ મળી જશે.