સાપને જોતા જ મોટાભાગના લોકોનો પરસેવો છુટી જાય છે. તમે પણ તમારી લાઇફમાં ઘણા સાપ જોયા હશ અને એવું પણ જાણતા હશો કે સાપની જીભ આગળથી બે ભાગમાં વહેંચાયેલી હોય છે પરંતુ શું તમે જાણો છો આવું કેમ છે?
સાપની જીભ બે ભાગમાં કાપેલી હોવાની પાછળ એક ગાઢ રહસ્ય છુપાયેલું છે જેનો ઉલ્લેખ મહાભારતમાં મળે છે.
મહાભારત અનુસાર મહર્ષિ કશ્યપની 13 પત્નીઓ હતી. એમાથી કદ્રૂ પણ એક હતી. તમામ નાગ કદ્રૂના જ સંતાન છે. તો બીજી બાજુ મહર્ષિ કશ્યપની એક અન્ય પત્નીનું નામ વિનિતા હતું જેના પુત્ર પક્ષીરાજ ગરુડ છે. એક વખત મહર્ષિ કશ્યપની બંને પત્નીઓ કદ્રૂ અને વિનતાએ એક સફેદ ઘોડો જોયો. એને જોઇને કદ્રૂએ કહ્યું કે આ ઘોડાની પૂંછડી કાળી છે અને વિનતાએ કહ્યું કે ના સફેદ છે. આ વાત પર બંનેમાં શરત લાગી ગઇ.
ત્યારે કદ્રૂએ પોતાના નાગ પુત્રોને કહ્યું કે પોતાનો આકાર નાનો કરીને ઘોડાની પૂંછડીથી વીંટળાઇ જાય કારણ કે ઘોડાની પૂંછડી કાળી નજરે આવે અને એ શરત જીતી જાય. એ સમયે કેટલાક નાગ પુત્રોએ આવું કરવાની ના પાડી દીધી. ત્યારે કદ્રૂએ પોતાના પુત્રોને જ શ્રાપ આપીને કહ્યું કે તમે રાજા જનમેજયના યજ્ઞમાં ભસ્મ થઇ જશો. શ્રાપની વાત સાંભળીને તમામ નાગ પુત્ર પોતાની માતાના કહ્યા પ્રમાણએ એ સફેદ ઘોડાની પૂંછડથી લપેટાઇ ગયા જેનાથી એ ઘોડાની પૂંછડી કાળી લાગવા લાગી.
શરત હારવાને કારણેવિનતા કદ્રૂની દાસી બની ગઇ. જ્યારે વિનતાના પુત્ર ગરુડને આ વાતની જાણ થઇ કે એની મા દાસી બની ગઇ છે તો એને ક્દ્રૂ અને નાગ પુત્રોને પૂછ્યું કે તમને કઇ વસ્તુ લાવી આપું કે જેનાથી મારી માતા તમારા દાસત્વથી મુક્ત થઇ જાય. ત્યારે નાગ પુત્રોએ કહ્યું કે તું અમને સ્વર્ગથી અમૃત લાવીને આપીશ તો તારી માતા અમારી માતાના દાસત્વથી મુક્ત થઇ જશે.
નાગપુત્રોના કહેવા પ્રમાણએ ગરુડ સ્વર્ગથી અમૃત કળશ લઇ આવ્યો અને એને એક પ્રકારના ધારદાર ઘાસ પર મૂકી દીધું. એને તમામ નાગને કહ્યું કે અમૃત પીતા પહેલા દરેક સ્નાન કરીને આવો. ગરુડના કહેવા પર તમામ નાગ સ્નાન કરવા ચાલ્યા ગયા પરંતુ એ વચ્ચે દેવરાજ ઇન્દ્ર ત્યાં આવી પહોંચ્યા અને અમૃત કળશ લઇને પુન: સ્વર્ગ ચાલ્યા ગયા.
જ્યારે તમામ નાગ સ્નાન કરીને પાછા આવ્યા તો એમને જોયું કે ઘાસ પર અમૃત કળશ નહીં. ત્યારબાદ સાપોએ ઘાંસને ચાટવાનું શરૂ કરી દીધું જેની પર અમૃત કળશ રાખ્યો હતો. એમને લાગ્યું કે એ જગ્યા પર અમૃત તો થોડો અંશ જરૂરથી પડ્યો હશે. આવું કરવાથી એમને અમૃતની પ્રાપ્તિ તો ના થઇ પરંતુ ઘાસના કારણએ એમની જીભના બે ટુકડા થઇ ગયા.