મા સરસ્વતીને જ્ઞાનની દેવી માનીને ખાસ કરીને વસંત પંચમીના દિવસે તેમની આરાધના કરાય છે.
16 ફેબ્રુઆરીએ ઉજવાશે વસંત પંચમીનો તહેવાર
સરસ્વતી દેવીની કરાય છે ખાસ પૂજા
જ્ઞાનની દેવી માનીને કરાય છે સરસ્વતીની પૂજા
દેશભરમાં 16 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે માતા સરસ્વતીની પૂજા કરીએ છીએ. મા સરસ્વતીને જ્ઞાનની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે, માન્યતા છે કે મા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન વધે છે અને સાથે તેમના આર્શિવાદ પણ મળે છે. માન્યતા છે કે માઘ માસની શુક્લ પક્ષની પંચમી તિતિને મા સરસ્વતી બ્રહ્માજીના મુખથી પ્રકટ થયા અને આ તિથિને વસંત પંચમી કહેવાઈ. આ દિવસથી આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરાય છે.
વસંત પંચમીના દિવસે પીળા રંગનું હોય છે ખાસ મહત્વ
આ દિવસે પીળા રંગને વિશેષ મહત્વ અપાયું છે. વસંત પંચમીના દિવસે પીળા ફૂલ, પીળા મિષ્ટાન ધરવાનું શુભ મનાય છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે અને સાથે જ આ દિવસે પીળા વસ્ત્ર પહેરવાનું અને ભેટ આપવાનું મહત્વ છે. આ દિવસે સવારે ન્તયક્રિયા પતાવીને પૂજા કરવાથી લાભ થાય છે. સાથે માતાની આરતી કરવાથી પણ પુણ્ય મળે છે.
જાણો વસંત પંચમીના શુભ મૂહૂર્ત
પંચાંગ અનુસાર વસંત પંચી 16 ફેબ્રુઆરીના રોજ સવારે 3.36 મિનિટે શરૂ થશે અને 17 ફેબ્રુઆરી સવારે 5.46 મિનિટે ખતમ થશે.
આ ચીજનો ઘરો ભોગ
આ દિવસે પીળા રંગને મહત્વ આપવામાં આવ્યું હોવાના કારણે તમે પીળા ફૂલ અને પીળા મિષ્ટાન અર્પણ કરો. માન્યતા છે કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય છે માટે પીળા રંગની વસ્તુ ભેટ આપો અને પીળા કપડા પહેરો.