બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:54 PM, 14 June 2025
Why Policemen Remove Cap: ઘણીવાર જ્યારે કોઈ અકસ્માત થાય છે અથવા કોઈ પ્રકારની ઘટના બને છે. કોઈ ગુનો આચરવામાં આવ્યો હોય જેમાં કોઈનો જીવ ગયો હોય. આવી સ્થિતિમાં, પોલીસ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચે છે. આવી સ્થિતિમાં, જ્યારે પોલીસ મૃતદેહ નજીક પહોંચે અથવા તો મૃતદેહને જુએ તો તુરંત જ પોતાની ટોપી ઉતારી દે છે. પોલીસનું વર્તન ખૂબ શિસ્તબદ્ધ હોય છે.
ADVERTISEMENT
પોલીસ મૃતદેહ નજીક પહોંચતા જ ટોપી ઉતારે છે
જો કે આવા પ્રસંગોએ ઘણી વખત જોવા મળે છે કે, પોલીસમેન મૃતદેહ પાસે પહોંચતાની સાથે જ તે પોતાની ટોપી ઉતારી નાખે છે. આવા દ્રશ્યો ઘણી ફિલ્મોમાં પણ બતાવવામાં આવતા હોય છે. આવ્યા છે. આવું શા માટે કરવામાં આવે છે? શું આ અંગે કોઈ નિયમો છે જેનું પાલન પોલીસમેન કરે છે? ચાલો જાણીએ તેની પાછળનું શું કારણ છે.
ADVERTISEMENT
પોલીસમેન મૃતદેહ સામે પોતાની ટોપી કેમ ઉતારે છે?
પોલીસ દળોને આવી કોઈ સૂચના આપવામાં આવતી નથી કે પોલીસકર્મીઓએ આવું કરવું જ જોઈએ. પરંતુ હજુ પણ અનેક પોલીસ અધિકારીઓ આ પરંપરાનું પાલન કરે છે. આનું કારણ મૃતક પ્રત્યે સહાનુભૂતિ અને આદર છે. ટોપી ઉતારવી એ એક પ્રકારનો હાવભાવ છે જે દર્શાવે છે કે પોલીસકર્મી મૃતક પ્રત્યે આદર દર્શાવી રહ્યો છે અને તેને પણ ઘટના પરત્વે દુખ છે. આ ઉપરાંત જ્યારે પોલીસ ટ્રેનિંગમાં હોય ત્યારે પણ તેઓને મૌખિત રીતે જણાવાય છે. આ ઉપરાંત બચપણથી પોતે પણ વિવિધ ફિલ્મો કે કોઇ ઘટના જોઇ હોય તો તેના માનસ પર આ પ્રકારની છાપ હોય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક, જાણો એક જ ક્લિકે
પરંપરાગત રીતે ચાલી આવે છે પ્રથા
ADVERTISEMENT
પોલીસ કર્મચારી જ્યારે ટ્રેનિંગ પુર્ણ કરીને ફિલ્ડમાં જાય ત્યારે અન્ય સીનિયર અધિકારી કે સાથી કર્મચારીઓને આવું કરતા જોઇને ધીરે ધીરે તે પણ ટેવાઇ જાય છે અને આ પ્રકારે આ પરંપરા પોલીસની વિવિધ પેઢી(બેચ)માં પરંપરાગત રીતે જ આગળ નિર્વહન થતી હોય છે. આ ઉપરાંત ભારત વર્ષો સુધી અંગ્રેજોનો ગુલામ રહ્યો. ઇંગ્લેન્ડ પોલીસમાં આ પ્રથા હોવાથી તેનું પાલન અહીં પણ થવા લાગ્યું અને પછી પેઢીદરપેઢી પોલીસમાં આ પ્રથા આજે પણ ચાલુ જ રહી.
વિદેશમાં પણ પોલીસ આ પરંપરાનું પાલન કરે છે
ADVERTISEMENT
આવું ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થાય છે. ભારતના પોલીસકર્મીઓ જ મૃતદેહની સામે પોતાની ટોપી ઉતારતા હોય તેવું જરા પણ નથી. આ પ્રથાનું પાલન વિદેશમાં પણ કરવામાં આવે છે. જ્યારે કોઈ પોલીસકર્મી કોઈ પરિવાર પાસે તે પરિવારના સભ્યના મૃત્યુની જાણ કરવા જાય છે, ત્યારે તે પોતાની ટોપી પણ ઉતારે છે. ટોપી ઉતારવી એ ફરજિયાત કાયદો નથી પરંતુ માનવીય લાગણીઓથી પ્રેરિત થઈને કરવામાં આવેલું કાર્ય છે. આ ઉપરાંત તે જરૂરી નથી કે તમામ પોલીસકર્મીઓને પોતાની ટોપી ઉતારે તે દરેક વ્યક્તિના પોતાના અંગત વિચારધારા પર આધારિત હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.