રસ્તા અથવા હાઈવેના કિનારે તમે મોટાભાગે ઝાડની લાઈનો જોતા હશે. આ ઝાડને સફેદ રંગથી રંગેલા જોયા હશે. જાણે તેની પાછળ શું છે કારણ
શા માટે ઝાડને કરવામાં આવે છે સફેદ રંગ
જાણો તેની પાછળ શું છે કારણ
જાણો તેનાથી ઝાડ પર શું અસર પડે છે
હકીકતે ઝાડને સફેદ કલર કરવા પાછળ પણ એચ સાયન્સ છે. ઝાડને ચુનાથી રંગવાનું કનેક્શન તેમની સુરક્ષા સાથે જોડાયેલું છે. જાણો તેનાથી ઝાડ પર શું અસર પડે છે.
જાણો શું કહે છે એક્સપર્ટ્સ
વૈજ્ઞાનિક રીતે ઝાડને સફેદ રંગ કરવાના ઘણા કારણ છે. તેમને રંગવામાં ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે. ચૂનો ઝાડના બહારના લેયરને સુરક્ષિત બનાવવાનું કામ કરે છે. એક્સપર્ટ કહે છે કે બાહારના લેયર પર ચુનો લગાવવાથી તેની છાલ ફાટતી કે તૂટતી નથી.
ઘણા ઝાડ એવા હોય છે. જેને ઉપરથી કાપી લેવામાં આવે છે. તેમ છતાં તેને સફેદ રંગ કરવામાં આવે છે. તેના પાછળ વૈજ્ઞાનિક કારણ છે. કોર્નેલ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર રંગ કરવામાં ઉપયોગમાં લેવામાં આવતા સફેદ રંગ સુરજના સીધા કિરણોથી ડેમેજ થતી નવી કુપણોને બચાવે છે. સફેદ રંગના કારણે નવી કુપણના ડેમેજ થવાનો ખતરો ઘટી જાય છે.
ઝાડને સફેદ રંગથી રંગવાનું બીજુ એક કારણ છે. લાંબુ અંતર કાપતા રસ્તાઓ પર સફેગ રંગમાં રંગાયેલા ઝાડ સ્ટ્રીટ લાઈટ ન હોવા પર રસ્તો બતાવવાનું કામ પણ કરે છે. અંધારામાં તેમના પર લાઈટ પડવાથી તે રિફ્લેક્ટ કરે છે અને રસ્તો દેખાય છે. જંગલો વાળા રસ્તામાં તે ખૂબ જ મદદગાર સાબિત થાય છે.
કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે ઝાડના રંગ માટે ક્યારેય પણ ઓઈલ પેન્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. ઝાડના ગ્રોથ પર તેની ખરાબ અસર પડે છે. જો ચુનાનો ઉપયોગ કરી રહ્યા છો તો પાણીની માત્રા વધુ હોવી જોઈએ. જેથી ઝાડને તેનાથી કોઈ નુકસાન ન થાય.