ભારત દેશ મંદિરો અને ધાર્મિક સ્થળોથી ભરેલો છે. એમાંથી એવા ઘણા મંદિરો છો જેનો ઇતિહાસ રોચક હોવાની સાથે સાથે રસપ્રદ પણ છે. તો ચલો તમને એક એવા મંદિર વિશે જણાવીએ છીએ જેના માટે કદાચ જ તમે સાંભળ્યું હશે.
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં બનેલા આ દુર્ગા મંદિર માટે ઘણી સ્ટોરી પ્રચલિત છે. કહેવામાં આવે છે કે જ્યારથી આ મંદિરનું નિર્માણ થયું છે ત્યારથી રોયલ ફેમિલીમાં દરરોજ કોઇકને કોઇક અશુભ ઘટના ઘટી રહી છે. પરિવારમાં રોજ ઝઘડા થવા લાગ્યા. તમામ લોકોમાં ઝઘડા એટલા વધી ગયા કે પરિવારના સભ્યો એક બીજાના ખૂનના તરસ્યા થઇ ગયા. કેટલાક લોકોના જણાવ્યા અનુસાપ રાજકુમારીને કોઇ સેનાપતિ સાથે પ્રેમ સંબંધ હતો જેથી આવા સમાચાર બાદ રાજકુમારીને મહેલમાં બંધક બનાવી દીધી.
કારણ કે રાજાને ઇચ્છા નહતી કે રાજકુનારી કોઇ સેનાપતિને પ્રેમ કરે થોડાક મહિનાઓ બાદ રાજકુમારીનું મોત થઇ ગયું. એના માટે રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાતો થવા લાગી. કેટલાક લોકોએ એનએ આત્મહત્યા કહ્યુંતો કેટલાક લોકોએ હત્યા થઇ હોવાનું જણાવ્યું. રાજરુમારીના મોત બાદ એક સેનાપતિએ પણ આત્મહત્યા કરી લીધી. રાજ્યમાં થઇ રહેલી આ ઘટનાઓ બાદ રાજપુરોહિતે રાજાને મંદિર માટે કહ્યું કે આ મંદિર અપવિત્ર થઇ ગયું છે. હવે અહીંયા પૂજા અર્ચનાનો કોઇ અર્થ નથી. તો રાજપુરોહિતે મંદિરમાં લાગેલી પ્રતિમાને હટાવીને બીજે રાખવાની વાત કહી હતી.
મંદિરની પાસે રહેનાર લોકોનું માનીએ તો સાંજ થયા બાદ અહીંયા ઘણી આત્માઓ આવી જાય છે. જેના કારણે સૂરજ ડૂબ્યા બાદ અહીંયા કોઇ નજર આવતું નથી. આ મંદિરને ઘણી વખત તોડલાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ ક્યારેય પણ એવું થઇ શક્યું નહીં. જેને પણ આ મંદિર તોડવાનો પ્રયત્ન કર્યો એની સાથે અજીબ ઘટનાઓ ઘટી.