દેશમાં ઘણા લોકો એવા છે, જે સવારનો નાસ્તો કરવાના બદલે ફક્ત બપોરે જમે છે. એટલેકે સવારે ચા અથવા કૉફી બાદ સીધા બપોરે જમે છે. જે લોકો ઑફિસ અથવા કોલેજ જાય છે, તેઓ ટીફિન લઇને જાય છે. જો ટીફિન લઇને ના જાય તો બહાર જ જમી લે છે. ખાવાનું ખાધા બાદ ઘણા લોકોએ અનુભવ્યું કે તેમને ઉંઘ આવવા લાગે છે. ઉંઘ આવ્યાં બાદ જો તેઓ જાગતા હોય અને કામ કરતી વખતે આંખો બંધ થવી, થાક અનુભવવો, માથાના દુ:ખાવા જેવી સમસ્યાઓ મહત્વની છે.
શું તમને જમ્યા બાદ ખૂબ ઉંઘ આવે છે?
જમ્યા બાદ તમે થાક અનુભવો છો?
જો કોઈ બિમારી હોય તો પણ આવી શકે ઉંઘ
જમ્યા બાદ થાક લાગવાના અલગ-અલગ સિદ્ધાંત
જમ્યા બાદ થાકને કારણે સંશોધનકારોના અલગ-અલગ સિદ્ધાંત છે, પરંતુ તેઓ સામાન્ય રીતે આ વાત સાથે સહમત છે કે આ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. જમ્યા બાદ થોડી ઉંઘ આવવી સામાન્ય વાત છે અને ચિંતાની કોઈ વાત નથી. પરંતુ જો બપોરે દરરોજ જમ્યા બાદ વધુ ઉંઘ આવે તો આ ગંભીર બિમારીના સંકેત પણ હોઇ શકે છે. બપોરે ભોજન બાદ આ પ્રકારની સુસ્તી અથવા ઉંઘ આવવા પાછળનું શું કારણ છે?
બપોરે જમ્યા બાદ ઉંઘ આવવાનું કારણ
બપોરે જમ્યા બાદ વારંવાર ઉંઘ આવે છે. જેનું કારણ તમારું ભારે જમણ હોઈ શકે છે. ખરેખર, અગ્ન્યાશય બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે ઈન્સ્યુલિનનું પ્રોડક્શન કરે છે. ભોજન જેટલુ ભારે હશે. ઈન્સ્યુલિનનું ઉત્પાદન એટલું જ વધારે હશે. જેનાથી બ્લડ શુગર લેવલમાં વધારો થશે. ઈન્સ્યુલિનમાં આ વધારાના કારણે તમારું શરીર સ્લીપ હોર્મોનનું ઉત્પાદન કરે છે, જે તમારા મગજમાં સેરોટોનિન અને મેલાટોનિનમાં પરિવર્તિત થઇ જાય છે. જેનાથી ઉંઘ આવે છે. જો કોઈને ઉંઘ આવે છે, તો તેની એનર્જી ઓછી થવા લાગે છે અને સુસ્તી આવવા લાગે છે.
પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ભોજન કર્યા બાદ વધુ ઉંઘ આવે છે. જેનુ કારણ છે મોટાભાગે પ્રોટીન રિચ ફૂડમાં ટ્રિપ્ટોફેન આવે છે, જે સેરોટોનિનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. સેરોટોનિન એવુ કેમિકલ છે, જે મૂડ અને સ્લીપ પેટર્નને નિયંત્રિત કરે છે. તો કાર્બોહાઇડ્રેટ ટ્રિપ્ટોફેનને શોષી લે છે, જેના કારણે ઉંઘ આવે છે.
આ બિમારીઓને કારણે પણ આવી શકે છે ઉંઘ
ડાયાબિટીસ
ફૂડ એલર્જી
સ્લીપ એપ્નિયા
થાઈરોડ
પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ
જો તમે વારંવાર થાક અનુભવો છો તો ઉંઘ આવે છે, તો તેમાંથી કોઈ સ્થિતિ પણ હોઇ શકે છે. જેના માટે તમે તબીબ સાથે સંપર્ક કરી શકો. તમારો ડૉકટર તમને જણાવવામાં મદદ કરશે કે જમ્યા બાદ ઉંઘ આવવાનું કારણ શું છે.