કોરોના વાયરસ જેવી જીવલેણ બિમારીથી સંપૂર્ણ દુનિયા લડી રહી છે ત્યારે આ બિમારીએ હવે ડૉક્ટર્સ તેમજ નર્સીઝને પણ ડિપ્રેશનનો શિકાર બનાવી લીધા છે.
મેડિકલ સ્ટાફ તણાવ અનુભવી રહ્યો છે
ગધેડાને ભેટીને દુર કરે છે તણાવ
ડૉક્ટર્સ અને નર્સ તેમજ અન્ય મેડિકલ સ્ટાફે ડિપ્રેશનથી બહાર આવવા માટે ગધેડાનો સહારો લીધો છે. આ ચિકિત્સા પદ્ધતિમાં લોકો ગધેડાને ભેટે છે, જેનાથી માનસિક વિકારોમાં રાહત અનુભવાય છે.
ધ હેપ્પી લીટલ ડોન્કીની સેવા આપનાર વ્યક્તિ કહે છે કે, તેમનુ એક ગ્રુપ છે જેમણે અલગ અલગ રોગો સાથે સંકળાયેલા લોકો સાથે કામ કર્યુ છે. અલ્ઝાઇમર અને તેના જેવી સમસ્યા વાળા લોકો સાથે પણ તેમણે કામ કર્યુ છે. જાણકારોનું કહેવું છે કે ગધેડાઓ પોતાના કોમળ સ્વભાવ અને સન્માન ભાવ જોતા માનસિક કે ભાવનાત્મક વિકારોને દુર કરવામાં મદદ કરે છે.
હોસ્પિટલમાં કામ કરનાર 25 વર્ષના મોર્લેસ કહે છે કે, સ્થિતિ પહેલા કરતા વધારે ખરાબ છે. સ્પેન હાલમાં બીજા તબક્કાના કોરોનાનો સામનો કરી રહ્યું છે. ત્યારે બિમાર લોકોની સાથે ડોક્ટર્સ પણ તણાવ અનુભવી રહ્યાં છે. જેથી ગધેડા સાથે સમય વિતાવીને તે તણાવ દૂર કરે છે.