અનન્યા પાંડેને સતત બીજા દિવસે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. 11 વાગ્યાનો સમય હતો પરંતુ અનન્યા 2.30 વાગે NCB ઓફીસ પહોંચી હતી.
અનન્યા પાંડેને વાનખેડેએ ધમકાવી
NCBની ઓફીસ છે પ્રોડક્શન હાઉસ નહી
3.30 કલાક લેટ પહોંચી હતી અનન્યા પાંડે
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સમીર વાનખેડેએ પૂછપરછ માટે ચંકી પાંડેની દીકરી અનન્યાને બીજા દિવસે પણ બોલાવી હતી. જે સમયે અનન્યાને બોલાવવામાં આવી હતી તેના કરતા તે મોડી આવી હતી ત્યારે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ તેને ધમકાવી હતી.
3.30 કલાક લેટ પહોંચી અનન્યા
NCBએ શુક્રવારે અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી અને 11 વાગ્યાનો સમય આપ્યો હતો. અનન્યા બપોરે 2.30 વાગે પહોંચી હતી જેના કારણે સમીર વાનખેડે ગુસ્સે થયા હતા.
સમીર વાનખેડેએ અનન્યાને ધમકાવી
સતત બીજા દિવસે પણ મોડા આવવાના કારણે સમીર વાનખેડે અનન્યા પર ભડકી ઉઠ્યા હતો. તેમણે કાયદા વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું. વાનખેડેએ અનન્યાને કહ્યું કે તમને 11 વાગે બોલાવવામાં આવ્યા હતા અને તમે આટલા વાગે આવી રહ્યાં છો. અધિકારીઓ તમારી રાહ જોઇને બેઠા હતા. આ કોઇ પ્રોડક્શન હાઉસ નથી સેન્ટ્રલ એજન્સીની ઓફીસ છે. માટે જે સમયે બોલાવવામાં આવે તે સમયે પહોંચી જવાનું રાખો.
શું છે મામલો?
આર્યન ખાન ડ્રગ કેસમાં વૉટ્સઍપ ચૅટ વાયરલ થઇ હતી અને તેને લઇને અનન્યાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. આર્યન તો જેલના સળિયા પાછળ છે પરંતુ તપાસ પૂર જોશમાં ચાલી રહી છે. અનન્યાને સમય આપવામાં આવ્યો હતો પરંતુ તે 3 કલાક લેટ પહોંચી હતી. જેના કારણે સમીર વાનખેડેએ અનન્યાને ધમકાવી હતી.