દિલ્હીથી ભોપાલ જઈ રહેલી એક ફ્લાઈટમાં પ્રજ્ઞા ઠાકુરને પ્રવાસીઓનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. એવું તો શું કર્યું હતું કે પ્રજ્ઞા ઠાકુર પર પ્રવાસીઓ ભડક્યાં હતાં? જાણો શું બન્યું હતું એ દિવસે...
વિમાનમાં સીટને લઈને પ્રજ્ઞા ઠાકુર પ્રવાસીઓ સાથે બાખડી પડી
પ્રવાસીઓ સાથેની હુંસાતુસીનો વીડિયો વાઈરલ થયો હતો
સીટ પર બેસવાને લઈને વિવાદ થયો હતો
તમને શરમ નથી આવતી કે તમને આ પ્રકારનું વર્તન કરી રહ્યાં છો
પોતાના નિવેદનોને કારણે ઘણીવાર સમાચારમાં છવાઈ રહેતા ભોપાલનાં ભાજપનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને એક વાર ફરી જનતાનાં ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીથી ભોપાલની એક ફ્લાઈટમાં સવાર પ્રજ્ઞા ઠાકુરની સીટનાં કારણે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક પ્રવાસી ભાજપનાં સાંસદને કહી રહ્યો છે કે તમને શરમ નથી આવતી કે તમને આ પ્રકારનું વર્તન કરી રહ્યાં છો.
દિલ્હીથી ભોપાલ જનારી સ્પાઈસજેટની ફ્લાઈટમાં સીટને લઈને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ક્રુ મેમ્બર સાથે બોલાચાલી થઈ ગઈ હતી. સીટની માંગણીને લઈને તે વિમાનમાં જ ધરણા પર બેસી ગઈ હતી. આ ઘટનાને પગલે પ્રવાસીઓ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની વિરુદ્ધમાં ઉભા થયાં અને તેની નિંદા કરી હતી. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ ઘટનાનાં વીડિયોમાં એક મહિલા કહી રહી છે કે, 'તમે નક્કી કરો કે તમારું મેનેજમેન્ટ કોણ છે? આ પ્રોફેસનાલિજમ નથી. '
50 લોકોને તમારા કારણે હેરાનગતિ થઈ છે
જેનાં પર સાધ્વી પ્રજ્ઞાએ જવાબ આપે છે કે 'મે સવારે જ કહી દીધું હતું. તમે તમારી રુલ બુક જોઈ લો. જો મને બેસવાનું નહીં ફાવે તો હું ચાલવા લાગીશ. ' આ દરમિયાન એક વ્યક્તિ આવે છે જે પ્રજ્ઞા ઠાકુર પર ભડકે છે અને કહે છે કે તેમે તો લિડર છો અને તમે જ જનતાને હેરાન કરો છો. તમને આ વાતની શરમ નથી આવતી કે 50 લોકોને તમારા કારણે હેરાનગતિ થઈ છે. બિલકુલ શરમ બહું સારો શબ્દ છે . ' આ દરમિયાન સાધ્વીએ તેમને યોગ્ય ભાષાનો પ્રયોગ કરવા કહ્યું હતું.
ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર આ બાબતે જીદ્દ કરી રહી હતી
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં સ્પાઈસજેટની ફ્લાઈટમાં સીટને લઈને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ક્રુ મેમ્બર સાથે બોલાચાલી થઈ ગઈ હતી. સાધ્વી સૌથી આગળની એટલે કે ઈમરજેન્સી વિંડો પાસેની સીટ ઈચ્છતી હતી. કેમ કે સાધ્વી પ્રજ્ઞા વ્હીલ ચેર પર એરપોર્ટ પહોંચી હતી. જેનાં કારણે તેમને ઈમરન્જસી સીટ મળી શકે તેમ નહોતી. પરંતુ ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર આ બાબતે જીદ્દ કરી રહી હતી. જેને લઈને વિવાદ થયો હતો. સાધ્વીએ વિમાનનાં ક્રુ મેમ્બર્સ પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો.