એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી રહ્યાં પરંતુ તેની યાદ ફેન્સના દિલમાં હજૂ પણ જીવીત છે. સુશાંતના ગયા બાદ તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા સુશાંતના પરિવાર સાથે ઉભી રહી હતી.
અંકિતા-સુશાંતનું કેમ થયુ હતુ બ્રેકઅપ
અંકિતાએ ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો
સુશાંતે 14 જૂન 2020ના રોજ કરી હતી આત્મહત્યા
લાંબા સમય સુધી હતા રિલેશનશીપમાં
સુશાંત અને અંકિતા ઘણા લાંબા સમય સુધી રિલેશનશીપમાં હતા અને લગ્ન કરવાના હતા પરંતુ અચાનક તેમનુ બ્રેક અપ થઇ ગયુ હતુ. જે બાદ ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કેમ બંનેનુ બ્રેકઅપ થયુ છે.
સુશાંતના ગયા બાદ અંકિતાને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો. તે સોશ્યલ મિડીયા પર તેના બોયફ્રેન્ડ વીક્કી સાથેની તસવીરો શૅર કરતી હોય છે.
એક્ટ્રેસે જણાવ્યુ કારણ
સોશ્યલ મિડીયા પર ફેન્સ તે વાતે નારાજ હતા કે અંકિતા કેવી રીતે સુશાંતને છોડીને મૂવ ઓન કરી શકે છે. ત્યારે એક ઇન્ટરવ્યૂમાં અંકિતાએ જણાવ્યું કે હું તે સમયે મારા સંબંધ માટે ઘણુ કરી રહી હતી. હું તેવી વ્યક્તિ નથી કે જે પોતાના પર્સનલ રિલેશનશીપને લઇને તેનો જાહેરમાં તમાશો બનાવું
હું કોઇને બ્લેમ નથી કરી રહી પરંતુ સુશાંતની ચોઇસ ખુબ ક્લિયર હતી. તે પોતાના કરિયરમાં આગળ વધવા ઇચ્છતો હતો. સુશાંતે પોતાના કરિયરને ચૂઝ કર્યુ અને તે આગળ વધી ગયો હતો.
લાઇફ ખતમ થઇ ગઇ હતી
અંકિતાએ આગળ જણાવ્યું કે 2.5 વર્ષ મેં ઘણી ચીજો સાથે ડીલ કરી અને હું તે સ્ટેટ ઓફ માઇન્ડમાં હતી જ નહી કે તરત કામ પર પાછી આવી શકું પરંતુ મારા પરિવારે મને સપોર્ટ કર્યો. મને લાગતુ હતુ કે મારી લાઇફ પતી ગઇ છે અને મને ખબર જ નહોતી કે બ્રેકઅપ બાદ હું શું કરુ.
સુશાંત અને અંકિતાના રિલેશનશીપની વાત કરવામાં આવે તો બંને શો પવિત્ર રિશ્તાથી અકબીજાના પ્રેમમાં પડ્યા હતા. 6 વર્ષ એક બીજા સાથે રિલેશનશીપમાં રહ્યાં બાદ 2016માં બંનેએ બ્રેક અપ કરી લીધુ હતુ.
સુશાંતે કરી આત્મહત્યા
મહત્વનું છે કે 14 જૂન 2020ના રોજ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે તેના બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં એક્ટરના પિતાએ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.