શરદ પવાર નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રોટોકૉલ નિયમ મુજબ બેઠક ન મળવાને કારણે સામેલ થયા નથી. પાર્ટીએ ગુરુવારે આ અંગે જાણકારી આપી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે પવાર વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે અને મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના રૂપે કાર્ય કરી ચૂક્યા છે.
એમણે કહ્યું, પવારના કાર્યાલય કર્મિઓને લાગ્યું કે પવારને બેસવા માટે જે બેઠક આપવામાં આવી છે. તે પ્રોટોકૉલ અનુસાર નથી. તેતી શરદ પવાર કાર્યક્રમમાં સામેલ થયા નથી. આપને જણાવીએ કે 78 વર્ષના શરદ પવારને પાંચમી પંક્તિમાં બેઠક મળી હતી.
નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઐતિહાસિક જીત બાદ સતત બીજીવાર વડાપ્રધાન પદની શપથ લીધી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નવી સરકારમાં પીએમ મોદી સહિત 25 કેબિનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને 24 રાજ્ય મંત્રીએ શપથ લીધા.
આપને જણાવીએ કે, લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા કાર્યકાળ માટે શપથ લેતા પૂર્વ મંત્રીપરિષદ માટે બીજેપીના અધ્યક્ષ અમિત શાહ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીની કેબિનેટમાં આ વખતે અનુભવ સાથે યુવા શક્તિ પર જોર આપવામાં આવ્યું છે.