સમગ્ર ભારત દેશમાં દશેરા 15 ઓક્ટોબર એટલે કે શુક્રવારે ઉજવવામાં આવશે. તે સાથે જ દેશભરમાં રાવણ, મેઘનાદ અને કુંભકરણના પુતળાનું દહન કરવામાં આવશે.
રાવણે સીતા માતાને કેમ મહેલમાં ન રાખ્યા?
નળકુબેરના શ્રાપના ડરે રાવણે આ કામ કર્યું
સીતા માતાને અશોક વાટિકામાં કેમ રાખ્યા?
માતા સીતાને મહેલમાં કેમ ન લઇ ગયો?
ઘણા લોકોના મનમાં આ સવાલ આવતો હોય છે કે રાવણનો મહેલ આટલો ભવ્ય હતો કે તેની સામે દુનિયાભરના એશ-ઓ-આરામ બેકાર હતા. તેમ છતાં તેણે સીતા માતાને કેમ અશોકવાટિકામાં રાખ્યા હતા? આવું રાવણે પોતાની મરજીથી નહી પરંતુ એક શ્રાપના ડરથી કર્યું હતું. આ શ્રાપ જીવનભર રાવણને સતાવતો રહ્યો અને છેલ્લે તેના મોતનું કારણ પણ બન્યો.
રાવણે રોક્યો હતો રંભાનો માર્ગ
વાલ્મીકિ રામાયણ અનુસાર સ્વર્ગની અપ્સરા રંભા કુબેરદેવના પુત્ર નળકુબેરને મળવા જઇ રહી હતી. રસ્તામાં રાવણે તેને જોઇ તો તેના રુપ અને સૌંદર્યને જોઇને મોહીત થઇ ગયો. રાવણે ખોટા ઇરાદાથી રંભાને રોકી લીધી હતી.
જબરદસ્તી મહેલમાં લઇ ગયો
રંભાએ હાથ જોડીને તેને છોડી દેવાની પ્રાર્થના કરી. રંભાએ કહ્યું કે તે નળકુબેરને મળવા જઇ રહી છે અને તે સંબંધે તેની પુત્રવધુ સમાન છે પરંતુ રાવણ તેને મહેલમાં લઇ ગયો હતો.
નળકુબેરે આપ્યો શ્રાપ
રાવણે રંભાનું શીલ હરણ કર્યું. જ્યારે આ વાતની સુચના નળકુબેરને મળી તો તે ક્રોધિત થઇ ગયો અને તેણે રાવણને શ્રાપ આપ્યો કે ભવિષ્યમાં તે કોઇ પરસ્ત્રીને તેની સ્વિકૃતિ વગર મહેલમાં લઇ જશે તો તે જ ક્ષણે ભસ્મ થઇ જશે.