PM મોદીએ કહ્યું કે, ઘણા નવા સાંસદો નિરાશ છે કે, તેમણે ગૃહમાં બોલવાની તક મળતી નથી, PM મોદીએ તમામ પક્ષોના નેતાઓને અપીલ કરી હતી કે, લોકોને વાત કરવાની તક આપો
શિયાળુ સત્ર શરૂ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ચિંતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં હોબાળાને લઈ ચિંતા વ્યક્ત કરી
PM મોદીએ G-20નું પ્રમુખપદ મેળવવાનું ગૌરવ વ્યક્ત કર્યું
આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે. આજે સત્ર શરૂ થતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદનની બહાર પોતાના સંબોધનમાં અનેક મહત્વની વાતો સાથે ચિંતા વ્યક્ત કરી છે. PM મોદીએ એક તરફ G-20 નું પ્રમુખપદ મેળવવાનું ગૌરવ વ્યક્ત કર્યું તો બીજી તરફ ગૃહમાં હોબાળાને લઈ પણ ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઘણા નવા સાંસદો નિરાશ છે કે, તેમણે ગૃહમાં બોલવાની તક મળતી નથી. વડાપ્રધાન મોદીએ તમામ પક્ષોના નેતાઓને અપીલ કરી હતી કે, લોકોને વાત કરવાની તક આપો અને ગૃહની કાર્યવાહીનું બલિદાન ન આપો.
શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ?
PM મોદીએ કહ્યું હતું કે, આ સત્ર મહત્વપૂર્ણ છે કારણ કે, તે 15 ઓગસ્ટ પહેલા મળ્યું છે. 75 વર્ષ વીતી ગયા અને આપણે અમૃતકાળની યાત્રા પર આગળ વધી રહ્યા છીએ. આપણે આજે એવા સમયે મળી રહ્યા છીએ કે, જ્યારે ભારતને G-20 ની યજમાની કરવાની તક મળી છે. ભારતે જે રીતે વિશ્વ સમુદાયમાં સ્થાન બનાવ્યું છે, જે રીતે અપેક્ષાઓ વધી છે અને જેમ-જેમ વૈશ્વિક પ્લેટફોર્મ તેનિ ભાગીદારીમાં સતત વધારો કરી રહ્યું છે. તેમ-તેમ તે G-20 નું આયોજન કરવાની એક મહાન તક છે. આટલો મોટો દેશ, લોકતંત્ર, આટલી વિવિધતાઓ, આટલી બધી તાકાત આખી દુનિયાએ જાણવી જોઈએ. ભારત પાસે પણ પૂરી દુનિયાને પોતાની તાકાત બતાવવાની તક છે. અગાઉ તમામ પક્ષના પ્રમુખો સાથે ચર્ચા થઈ ચૂકી છે.
That is why it is of utmost importance for House to function, especially youth MPs say this. Even Opposition MPs say they don't get to speak in debates, House gets adjourned & they suffer losses. I think all Floor Leaders & party Leaders will understand this pain of the MPs: PM pic.twitter.com/jp8JMTl53U
PM મોદીએ વિપક્ષી પાર્ટીઓને અપીલ કરતાં કહ્યું હતું કે, સદન ભારતને આગળ વધારવાની તકને ધ્યાનમાં રાખીને નવા નિર્ણયો લેવાનો પ્રયાસ કરશે. મને વિશ્વાસ છે કે, રાજકિય પક્ષો ચર્ચા કરશે. હું તમામ પાર્ટીના નેતાઓને વિનંતી કરવા માંગુ છું કે, જેઓ પ્રથમ વખત આ ગૃહમાં આવ્યા છે તે નવા સાંસદોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અને લોકશાહીની ભાવિ પેઢીને તૈયાર કરવા માટે વધુને વધુ તક આપો.
આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગત દિવસોમાં મે તમામ પક્ષોના સાંસદો સાથે અનૌપચારીક બેઠકો કરી છે. એક વાત કહેવાની છે કે, સદનમાં હોબાળો માંછે છે અને સ્થગિત થવાને કારણે સાંસદોને ઘણું નુકશાન થાય છે. જેથી ગૃહનું સંચાલન ખુજ જ જરૂરી છે. વિપક્ષી સાંસદોનું પણ આવું જ કહેવું છે કે તેમણે ચર્ચામાં બોલવાની તક મળતી નથી. હું સમજું છું કે, પાર્ટીના તમામ નેતાઓ અમારા આ સાંસદોની પીડા સમજી શકશે. હું તમામ પક્ષોને, તમામ સાંસદોને આગ્રહ કરું છું કે, તેઓ આ સત્રને વધુ ફળદાઈ બનાવવા માટે સામૂહિક પ્રયાસ કરે.