જ્યારે જ્યારે વિધાનસભા કે લોકસભાના પરિણામો જાહેર થાય ત્યારે ત્યારે EVM પર સવાલ ઉઠાવતા જ રહ્વયા છેપરંતુ આ વખતે તો પરિણામ જાહેર થાય તે પહેલા જ વિપક્ષે EVM પર સવાલ ઉઠાવ્યા છે..આજે 21 વિપક્ષીદળોએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી અને માગ કરી કે મતગણતરી પહેલા VVPATની 50 ટકા પરચીઓને EVM સાથે મેચ કરવામાં આવે અને બાદમાં તેની મતગણતરી કરવામાં આવે. પણ જો પરચીઓને મેચ કરવામાં કોઈ ગડબડ સામે આવે તો પછી 100 ટકા પરચીઓનું મેચિંગ કરવામાં આવે. જો કે વિપક્ષની આ માગને ચૂંટણીપંચ સ્વીકારે છે કે કેમ તે તો બાદમાં જ ખ્યાલ આવશે. પરંતુ અહીં પરિણામો જાહેર થાય તે પહેલા ફરી એકવાર EVM હેકિંગનું ભૂત ધુણવા લાગ્યું છે..એટલું જ નહીં પરંતુ આ આરોપ-પ્રત્યારોપ વચ્ચે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પણ EVM પર ઉઠી રહેલા સવાલોને લઈને ચૂંટણીપંચ તરફ આંગળી ચિંધી છે. અને કહ્યું છે કે EVM પર લોકોનો વિશ્વાસ બરકરાર રહે તે માટેના ચૂ્ંટણીપંચે પ્રયાસ કરવા જોઈએ. ત્યારે અહીં ફરી એકવાર સવાલ એ ઉઠે છે કે શું EVMનું હેકિંગ શક્ય છે ખરું? શું વિપક્ષના દાવામાં દમ છે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન