દેશભક્તિની વાતો કરવી, ફિલ્મો આપવી અને PM મોદીનો 'નોન પોલિટિકલ' ઇન્ટરવ્યું લેવો જ માત્ર દેશભક્તિ છે? આવા સવાલો હાલ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સામે ઊઠી રહ્યા છે. કારણ કે, લોકોસભા ચૂંટણીનું મુંબઈમાં મતદાન તો યોજાયું પરંતુ અક્ષય મતદાન કરવા ન પહોંચ્યા. પરંતુ કેમ...?
આ મામલે એક પત્રકારે પુછ્યું કે, અક્ષય તમે વોટ કેમ ન આપ્યો? તો અક્ષય કુમારે ત્યાંથી ચાલતી પકડી લીધી હતી. તેમણે કહ્યું કે, ચલીએ બેટે..
જેમ કે તમે જાણો છો તેમ દેશભક્તિની ફિલ્મોના કારણે હાલ અક્ષય કુમાર બોલિવૂડના નવા ભારત કુમારનું બિરુદ પોતાના નામે કરી ચૂક્યા છે. પરંતુ દેશભક્તિની વાતો કરનારા અક્ષય મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે મતદાન કરવા માટે જ ન ફરક્યા. કારણ કે, ભાઈ અક્ષય તો ભારતના નાગરીક જ નથી. તે તો કેનેડાનું નાગરિકત્વ ધરાવે છે. પાસપોર્ટ પણ કેનેડિયન છે.
લોકોને મતદાન કરવાની સલાહ આપનારા અક્ષયે ખુદ્દ તો મતદાન ન કર્યું. પરંતુ જ્યારે એક મીડિયા કર્મીએ મતદાના વિશે પ્રશ્ન કર્યો તો જવાબ આપવાની જગ્યાએ તેની સાથે ગેરવર્તણૂક કરી અને ત્યાંથી ચાલતી પકડી હતી.
ત્યારે ફરી એ જ સવાલ થાય છે કે, શું દેશભક્તિની ફિલ્મો આપવી, ટેક્સ ભરવો અને PM મોદીનો 'નોન પોલિટિકલ' ઇન્ટરવ્યું લેવો જ માત્ર દેશભક્તિ છે? દેશ પ્રત્યે આટલો જ પ્રેમ છે તો શા માટે કેનેડિયન નાગરિકત્વ નથી છોડતા.
Akshay Kumar: While all these years, I have never needed to prove my love for India to anyone, I find it disappointing that my citizenship issue is constantly dragged into needless controversy, a matter that is personal, legal, non-political, and of no consequence to others. https://t.co/gGozmXd09Y