બજારમાં મળતી કેસર કેરી સહિત અને વિવિધ પ્રકારની કેરીના ભાવમાં ઘટડો જોવા મળી રહ્યો છે બજારમાં શું છે કેરીના ભાવ અને કેમ ઓછા ભાવે ખેડૂતો વેચી રહ્યા છે કેરી જાણો
કેરીના ભાવમાં જોવા મળી રહ્યો છે ઘટાડો
બજારમાં મળતી કેરીનો શુ છે ભાવ જાણો
કેમ કરીના ભાવમાં જોવા મળી રહ્યો છે ઘટાડો
તૌકતે વાવાઝોડાને લીધે રાજ્યના પાંચ લાખ હેક્ટરમાં પથરાયેલ બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. જેમાં કેરી, નાળિયેરી, ચીકુ, જાંબુ, ડાંગર સહિતના પાક બરબાદ થઈ ગયો છે એવામાં બજારામાં મળીતી કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કેમ કે વરસાદ અને ભારે પવનને કારણે કેરીના પાકને ભારે નુક્સાન થતા ખેડૂતો હાલ સસ્તા ભાવે કેરીનું વેંચાણ કરી રહ્યા છે.
બજારમાં મળતી કેરીનો શુ છે ભાવ જાણો
જે કેરીના ભાવ એક બોક્સના 1 હજાર રૂપિયા સુધી હતા તે હવે 700થી નીચા તે તેની આસપાસના ભાવે મળી રહી છે જ્યારે હાપુસ કેરીની એક પેટી 1 હજાર રૂપિયાએ મળતી હતી તે હવે 400 રૂપિયાએ મળતી થઈ ગઈ છે. આંબા પરથી ખરી પડેલી કેરીનો ભાવ 100થી 250 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે 10 કિલો બોક્સ કેરીનો ભાવ રૂપિયા 400 થી 500 જેટલો થયો છે, મહત્વનું છે કે વાવાઝોડા અગાઉ આ કેરીઓનો ભાવ રૂપિયા 800થી વધુ બોલાતો હતો જે હવે 400ની આસપાસ પહોંચી ગયો છે.વાવાઝોડાને કારણે કરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેરીઓ બગડી જવાના લીધે ખેડૂતો રસ્તા ભાવે કેરીઓ વેચી રહ્યા છે. અમદાવાદમાં પણ કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મળતી કેરીના પાકને પણ નુક્સાન થયું છે.
કેમ કરીના ભાવમાં જોવા મળી રહ્યો છે ઘટાડો
કેરી સહિત બાગાયત પાકને નુક્સાની જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, બજારમાં મળતી કેરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ગીર પંથકમાંથી મળતી કેસર કેરીનો પાક સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે.ભારે પવન સાથે વરસેલા વરસાદમાં કેરીનો પાક સંપૂર્ણપણે નાશ થઈ જવાથી કેરાની ભાગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પાંચ લાખ હેક્ટરમાં બગીચામાં પોણા બે લાખ હેક્ટરમાં પથરાયેલા કેરીના પાકને નુકશાન થયુ છે તો છ લાખ ટન કેરી ખરાબ થઈ ગઈ છે.
જૂનાગઢ માર્કેટ યાર્ડમાં પણ ઓછા ભાવે કેરીનું વેંચાણ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પણ કેરીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો, મનાઈ રહ્યું છે કે અત્યાર સુધીની સૌથી સસ્તો કેરીનો ભાવ માર્કેટમાં બોલાઈ રહ્યો છે, કેરીનું 10 કિલોનું બોક્સ જે 30 થી 50 રૂપિયાના ભાવે વેચાતું જોવા મળી રહ્યું છે, વાવાઝોડાને કારણે ખરી પડેલી કેરી ઓછા ભાવે મળી જોવા મળી રહી છે. ખેડૂતો કેરી વેચવા કરતા ફેંકી દેવાનું મન બનાવી રહ્યા છે, જો વાત કરવામાં આવે તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે 25 હજાર બોક્સ કેરીની આવક થઈ છે, વરસાદ બાદ કેરીના ભાવમાં ઘટાડો જોવા મળે છે ત્યાર વાવાઝોડાને લઈ કેરી ખરાબ થઈ જતી હોય તે એટલે પણ કેરીના ભાવમાં ઘટાડો જોવા મળે છે. કેરીના ભાવ ગગડતા ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.
બગાયાતી પાકને પણ નુક્સાન
સમગ્ર રાજ્યમાં પાંચ લાખ હેક્ટરમાં ફળોના બગીચાઓમાં ભારે નુકસાન થયુ છે. નાળિયેરના ઝાડ અને ચીકુના ઝાડ ધરાશાયી થઈ ગયા છે. જેમાં સૌથી વધુ કેરીના પાકને નુકસાન થયુ છે. સૌરાષ્ટ્રમાં વેરાવળ, માંગરોળ, કોડિનાર અને ઉના સહિતના વિસ્તારમાં બાજરી, તલના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગર, કેળાનો પાક બરબાદ થઈ ગયો છે.
વાવાઝોડાને કારણે ખેડૂતોને નુક્સાન
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન થતા ખેડૂતો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જણાવ્યું છે કે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે કરવામાં આવશે અને નુક્સાન થનાર ખેડૂતોને અસરગ્રસ્ત લોકોના બાદ સહાય ચૂકવવામાં આવશે.