પરીણામ પહેલા હાર્દિક પટેલનું મોટું નિવેદન, નરેન્દ્ર મોદી અને ભાજપે એ પ્રમાણે અહી સુશાસન કાયમ કર્યું છે તેણે કારણે અહી લોકોમાં ભરોસો વધુ મજબૂત થયો
આ ચૂંટણીમાં ભારે માર્જિન સાથે ભાજપનો વિજય થશે: હાર્દિક પટેલ
વિરમગામથી પણ મારી જીત થશે: હાર્દિક પટેલ
આ ચૂંટણીએ લોકતંત્રના પાયા મજબૂત કરવાનું કામ કર્યું : હાર્દિક પટેલ
અમે સરઘસ નહીં નિકાળીએ: હાર્દિક પટેલ
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભારે માર્જિન સાથે ભાજપનો વિજય થશે. આ વિજયથી નક્કી થશે કે આવનાર 25 વર્ષમાં ગુજરાત કેવું હશે. હાર્દિકે ઉમેર્યું હતું કે, વિરમગામથી પણ મારી જીત થશે, આ ચૂંટણીએ લોકતંત્રના પાયા મજબૂત કરવાનું કામ કર્યું છે. હાર્દિકે ઉમેર્યું હતું કે, અમે સરઘસ નહીં નિકાળીએ કારણકે સરઘસ નિકાળવાના બહાને અમે લોકોને મુશ્કેલીમાં નહીં મૂકીએ.
વિરમગામ ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું કે, આ જે સરકાર બની રહી છે તે ગુજરાતના લોકોના સપનાની સાથે ગુજરાતની સરકારે જે કામ કર્યા છે એના આધાર ઉપર બની રહી છે. પાછળના 20 વર્ષોથી એક પણ રમખાણ નથી થયા, પાછળના 20 વર્ષોથી કોઈ પણ પ્રકારનો આતંકવાદી હુમલો નથી થયો. તો લોકો પણ એ સમજે છે કે, જે ભરોસો અમે ભાજપ ઉપર કર્યો તેમાં તે ખરા ઉતર્યા છે. નરેન્દ્ર મોદી અને ભાજપે એ પ્રમાણે અહી સુશાસન કાયમ કર્યું છે તેણે કારણે અહી લોકોમાં ભરોસો વધુ મજબૂત થયો છે.
ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાઇ. જેનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેનું પરિણામ આજે ગુરુવારને 8 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે આ ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું. ગઇકાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.