રિવાબાએ ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં રવિન્દ્ર જાડેજાના ફોટાનો ઉપયોગ કર્યો એ વાતનો વિરોધ કરતાં વારિસ પઠાણે બીસીસીઆઈને પૂછ્યો આ સવાલ.
રિવાબાએ ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં ટીમ ઈન્ડિયાની જર્સીમાં રવિન્દ્ર જાડેજાના ફોટાનો ઉપયોગ કર્યો
વારિસ પઠાણે પણ આ વાતનો વિરોધ કરતાં બીસીસીઆઈને સવાલ પૂછ્યો
વિવાદ વધતાં રિવાબાના એકાઉન્ટમાંથી પોસ્ટ ડિલીટ કરવામાં આવી
ગુજરાતની ઉત્તર જામનગર બેઠક પરથી ભાજપની ઉમેદવાર અને સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ગુજરાતની ચૂંટણીને લઈને સમાચારમાં બની રહે છે. થોડા દિવસ પહેલા જ આ વાત પર વિવાદની શરૂઆત થઈ હતી કે રિવાબાએ ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં ભારતીય ટીમની જર્સીમાં રવિન્દ્ર જાડેજાના ફોટાનો ઉપયોગ કર્યો હતો. આ વાત માટે આપના ધારાસભ્યએ રીવાબાની આ ચુંટણી પ્રચારની રીતની જોરદાર નિંદા કરી હતી. હાલ આ વિવાદે વધુ જોર પકડયું છે. જણાવી દઈએ કે વિરોધ પક્ષો અલગ અલગ કારણોસર અને નવી રીતે રીવાબા અને રવિન્દ્ર જાડેજાને ઘેરી રહ્યા છે. હાલ જ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લમીનના પ્રવક્તા વારિસ પઠાણે પણ આ વાતનો વિરોધ કરતાં બીસીસીઆઈને પૂછ્યું હતું કે શું ભારતીય ટીમની જર્સીમાં કોઈપણ રાજકીય પક્ષનો પ્રચાર કરવો એ કરારના નિયમોની વિરુદ્ધ નથી?
શું કહ્યું વારસી પઠાણે?
હાલ જ વારિસ પઠાણે રીવાબા પર નિશાનો સાધતાં અને બીસીસીઆઈ પર પ્રશ્ન ઉઠાવતા ટ્વીટ કરીને સવાલ કર્યો હતો કે શું ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવી અને રાજકીય પક્ષના પ્રચારમાં સામેલ થવું એ ખેલાડીના કરારનો ભંગ નથી અને શું BCCI અનુસાર તે હિતોનો ટકરાવ નથી?
જણાવી દઈએ કે વિવાદ વધ્યા પછી રવિન્દ્ર જાડેજા દ્વારા શેર કરાયેલ સ્ક્રીનશૉટનું રિટ્વીટ કર્યું હતું અને જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજાના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ હટાવી દેવામાં આવી હતી અને એ પછી રિવાબાના એકાઉન્ટમાંથી પણ તે ટ્વીટ ડિલીટ કરવામાં આવી હતી.
Isn't wearing the jersey of Indian Cricket team & indulging in promotion of a political party a breach of contract of player and also conflict of interest according to @BCCI ? pic.twitter.com/zHGBcKFdJ7
ભાજપે ધર્મેન્દ્રસિંહ જાડેજાને સાઈડલાઈન કર્યા
ભાજપે ભલે ઉત્તર જામનગરથી રિવાબાને ટિકિટ આપી છે પણ આ પહેલા રિવાબાને ન તો કોઈ રાજકીય અનુભવ હતો કે ન તો તેમણે અગાઉ કોઈ ચૂંટણીમાં ભાગ લીધો હતો. જણાવી દઈએ કે ધારાસભ્ય પદ માટે રીવાબાની આ પ્રથમ ચૂંટણી હશે અને ભાજપે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને સાઈડલાઈન કરીને રીવાબાને ટિકિટ આપી છે. જો કે ભાજપનું આ પગલું દરેક માટે આશ્ચર્યજનક હતું અને હાલ પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે આ ચૂંટણી જીતવી રિવાબા માટે પડકારરૂપ બની રહી છે. તેની પાછળનું કારણ છે કે રવિન્દ્ર જાડેજાના બહેન નયાબા ઉત્તર જામનગર બેઠક પરથી જ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે અને ચુંટણીણઆ પ્રથમ તબક્કાના મતદાનમાં ઉત્તર જામનગરની બેઠકનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં રીવાબા પાસે પ્રચાર માટે હવે ગણતરીણઆ દિવસો બાકી રહ્યા છે.