દિલ્હી હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહી દીધું હતું કે અમે શાહજહાં નથી તો શાહજહાંબાદ વસાવી દઈએ. બધુ કામ કંઇ અમારું નથી. જાણો કયા સંદભ્રમ કહેવું પડ્યું આવું.
દિલ્હી હાઇકોર્ટે કહ્યું અમે શાહજહાં નથી
15 વર્ષ જૂનાં કેસની સુનાવણી ચાલતી હતી
અમારું કામ પ્રોજેક્ટ પર નજર રાખવાનું છે?
ગુરુવારે, દિલ્હી હાઈકોર્ટે ચાંદની ચોક વિસ્તારના વિકાસને લઈને દાખલ કરવામાં આવેલી 15 વર્ષ જૂની અરજીની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ કોર્ટ શાહજહાં નથી અને અમે શાહજહાનાબાદનું પુનઃનિર્માણ કરવાના નથી.
2007 થી પેન્ડિંગ છે મામલો
જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને અનૂપ જયરામ ભંભાણીએ કહ્યું કે, આ મામલો 2007થી પેન્ડિંગ છે. અમે મુદ્દાઓને અનંતકાળ માટે રાખી શકતા નથી. આ કેસને 15 વર્ષ થઈ ગયા છે. હવે તેનો કોઈ અર્થ નથી. કોર્ટે અરજીકર્તા એનજીઓ માનુષી સંગઠનને કહ્યું કે તે તેની અરજી પાછી ખેંચી શકે છે. આ સાથે, કોર્ટે કહ્યું કે ચાંદની ચોક વિસ્તારના પુનર્વિકાસ સાથે સંકળાયેલા નાગરિક સંસ્થાઓએ કેસની સુનાવણી દરમિયાન આપવામાં આવેલા આદેશોનું પાલન કરવું પડશે.
15 વર્ષથી ચાલી રહ્યો છે મામલો
એનજીઓએ એડવોકેટ ઈન્દિરા ઉન્નિયાર મારફત આ અરજી દાખલ કરી હતી. ગુરુવારે કેસની સુનાવણી દરમિયાન એડવોકેટ ઈન્દિરા ઉન્નિયારે કહ્યું હતું કે આ મામલો છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યો છે. આ કેસ દરમિયાન કોર્ટે આપેલા વિવિધ આદેશોને કારણે તેનો હેતુ મહદઅંશે પૂર્ણ થયો છે.
જો કે, અરજી પાછી ખેંચવાની માંગનો સિનિયર એડવોકેટ સંજીવ રેલ્લી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ચાંદની ચોક સર્વ વ્યાપાર મંડળનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કહ્યું કે આ મામલે કોર્ટે આપેલા આદેશોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું નથી.
કોર્ટનું કામ પ્રોજેક્ટ પર નજર રાખવાનું છે?
આ સિવાય ચીફ નોડલ ઓફિસરે ચાંદની ચોક સંબંધિત પ્રોજેક્ટ અંગે રિપોર્ટ માંગ્યો છે. બેન્ચે કહ્યું હતું કે અરજદારને અરજી પાછી ખેંચતા રોકી શકાય નહીં. પરંતુ રેલ્લીએ કહ્યું હતું કે કોર્ટે પહેલા એ જાણવું જોઈએ કે તેના દ્વારા આપવામાં આવેલા આદેશોનું કેટલી હદ સુધી પાલન કરવામાં આવ્યું છે. આના પર જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલે કહ્યું, 'શું કોર્ટનું કામ ચાંદની ચોકમાં ચાલી રહેલા પ્રોજેક્ટ પર નજર રાખવાનું છે? જો તેઓ પાલન ન કરે, તો તમે કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરી શકો છો. આ દરબાર શાહજહાં નથી. અને આ કોર્ટ શાહજહાંબાદ વસાવવા નથી જઈ રહી.