દહીં ડેરી પ્રોડક્ટમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતું ખાદ્ય પદાર્થ છે. એમાં રહેલા માઇક્રોસ્કોપિક બેક્ટેરિયા અને પ્રોટીન શરીરમાં જરૂરી પોષક તત્વોની આપૂર્તિ કરવામાં મદદરૂપ કરે છે. કેટલાક લોકો ઠંડીની સિઝનમાં ખાતા નથી કારણ કે માનવામાં આવે છે તે એની તાસીર ઠંડી હોય છે પરંતુ આયુર્વેદ અનુસાર દહીંની તાસીર ગરમ હોય છે.
ઠંડીમાં કેમ ફાયદાકારક છે દહીં?
ઠંડી સિઝનના કારણે મોટાભાગે લોકો શરદી ખાંસી તાવ પેટમાં દુખાવા વગેરે જેવા ઇન્ફેક્શનનો શિકાર જલ્દી બને છે. એવામાં પ્રતિરોધક ક્ષમતાનું મજબૂત થવું ખૂબ જરૂરી છે. જો નાશ્તામાં દરરોજ એક બાઉલ દહીંનું સેવન કરશો તો ફાયદો મળશે. જો કે રાતના સમયે દહીં ખાવાથી સ્વાસ્થ્ય બગડે છે.
એક કપ દહીંમા 8.5 ગ્રામ પ્રોટીન
દહીંના 1 કપમાં 8.5 ગ્રામ પ્રોટીન હોય છે. જે શરીરને જરૂરી અમીનો એસિડ પૂરું પાડવામાં ખૂબ જ લાભકારી છે. જ્યારે બોડીમાં અમીનો એસિડની કમી આવી જાય છે તો એનાથી માંસપેશીઓ યોગ્ય કામ કરી શકતી દહીંમાં કેલ્શિયમ હાડકાને મજબૂતી પૂરી પાડે છે આ ઉપરાંત પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો દિલને સ્વસ્થ રાખવામાં અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ઇન્ફેક્શન દૂર કરવામાં પણ દહીંના બેક્ટેરિયા ખૂબ જ ફાયદાકારક છે.
દિવસમાં કેટલું દહીં ખાવું જરૂરી
દરરોજ એક વ્યસ્કને 1 બાઉલ દહીંનું સેવન કરવું જોઇએ. જે લોકો શારીરિક શ્રમ કરે છે એમના માટે અડધો બાઉલ દહીં પૂરતું છે.
કેવું દહીં ખાશો?
દહીંમાં ગુડ બેક્ટેરિયા હોય છે એટલા માટે એ વાતનું ધ્યાન રાખો કે ફ્રિઝમાં રાખેલા ઠંડા દહીંનુ સેવન કરશો નહીં. કારણ કે એનાથી સ્વાસ્થ્યને ફાયદો થતો નથી. હંમેશા સામાન્ય તાપમાન પર રાખેલું દહીં ખાવ.