મુખ્યમંત્રીઓએ સાથેની ચર્ચામાં પીએમ મોદીએ જણાવ્યું કે આપણે વેક્સિન કરતા ટેસ્ટિંગ પર વધારે ભાર મૂકવાની જરુર છે.
વેક્સિન કરતા ટેસ્ટિંગ પર વધારે ભાર મૂકવાની જરુર-પીએમ
ટેસ્ટિંગ અને ટ્રેકિંગની ઘણી ભૂમિકા છે
કોવિડ મેનેજમેન્ટનું એક મહત્વનં કામ વેક્સિનના બગાડને રોકવાનું છે
મોદીએ કહ્યું કે આજે આપણે જેટલી માંગ વેક્સિનની કરીએ છીએ તેના કરતા વધારે જરુર ટેસ્ટિંગ પર ભાર મૂકવાની છે. ટેસ્ટિંગ અને ટ્રેકિંગની ઘણી ભૂમિકા છે. ટેસ્ટિંગને આપણે હળવાશથી ન લેવું જોઈએ. કોવિડ મેનેજમેન્ટનું એક મહત્વનં કામ વેક્સિનના બગાડને રોકવાનું પણ છે. તમને ખબર છે કે આટલી વેક્સિન કેવી રીતે બને છે. એવું તો નથી કે આટલી મોટી મોટી ફેક્ટરીઓ રાતોરાત બની જાય છે. આપણી પાસે જે કંઈ પણ ઉપલબ્ધ છે તેને અગ્રીમતા આપવી પડશે.
તત્કાળ ઉપાય કરવાની જરુર-અમિત શાહ
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે કોરોનાના કેસો વધી રહ્યાં છે તેથી તત્કાળ ઉપાય કરવાની જરુર છે. તેમણે કહ્યું કે દેશમાં 9 કરોડ કરતા પણ વધારે લોકોનું રસીકરણ થયું છે. દેશમાં અત્યારે 45 વર્ષથી વધારે વયના લોકોનું ટીકાકરણ ચાલી રહ્યું છે તેને થોડા સમયમા પુરુ કરી લેવામાં આવશે.
1થી 14 એપ્રિલ ત્રણ દિવસ ટીકા ઉત્સવ બનાવીએ
PM મોદીએ મુખ્યમંત્રીઓને પૂછ્યું કે શું આપણે 11 એપ્રિલ જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે અને 14 ડો. આંબેડર જ્યંતિ છે ત્યારે આ ત્રણ દિવસને આપણે રસીકરણ માટે ટીકા ઉત્સવ તરીકે ઉજવીએ. આ ત્રણ દિવસ દરમ્યાન 45થી વધુ ઉંમરની વધુમાં વધુ વ્યક્તિઓને રસી આપીએ. આ દરમ્યાન ઝીરો રસીનો બગાડ થાય તેવું નક્કી કરીએ.
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવું જરુરી
પીએમ મોદીએ કહ્યું કે દુનિયાભરમાં નાઈટ કર્ફ્યુનો સ્વીકાર કરવામા આવ્યો છે. કોરોનાના અટકાવ માટે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવું જરુરી છે. પીએમે કહ્યું કે આ વખતે આપણી પાસે કોરોનાની સામે લડવાના તમામ ઉપાયો ઉપલબ્ધ છે. હવે તો વેક્સિન પણ છે. તેમ છતાં પણ ઘણા લોકો બેદરકાર બની રહ્યાં છે.
70 ટકા આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય
વડાપ્રધાને કહ્યું કે આપણું ટાર્ગેટ 70 ટકા સુધી આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય ચાલુ રાખવાનું છે. કોરોનામાંથી બહાર નીકળવાનો રસ્તો વધારે ટેસ્ટિંગ છે. પોઝિટીવિટી રેટ વધતા ગભરાવાની જરુર નથી. જ્યારે ટેસ્ટ થશે ત્યારે ઉપાય મળી રહેશે.