કોઇના નિધન થયા પછી જ્યારે તેમની અંતિમ વિધિ કરવા માટે તેમને તૈયાર કરવામાં આવે છે ત્યારે તે મૃત વ્યકિતના નાક અને કાનમાં રૂ નાંખવામાં આવે છે. તાજેતરમાં જ બોલિવુડની એક્ટ્રેસ શ્રીદેવીનું નિધન થયું દુબઇથી જ્યારે મુંબઇમાં લાવી તેમણે અંતિમ સંસ્કાર માટે તૈયાર કરવામાં આવ્યા ત્યારે તેમના પાર્થિવ શરીરના નાક અને કાનમાં રૂ નાખવામાં આવ્યા હતા ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે શા માટે કરવામાં આવે છે ભાગ્યે જ કોઇ આ વિશે જાણતું હશે. આવું કરવા પાછળનું કારણ ધાર્મિક અને વૈજ્ઞાનિક માન્યતાની સાથે જોડાયેલું છે જે અંગે આજે અમે તમને જણાવીશું...
મૃતકના શરીરના સ્નાન કરાવીને અંતિમ વિધિ માટે તૈયાર કરવામાં આવે છે તે સમયે તેના કાન અને નાકમાં રૂ નાંખવામાં આવે છે. આ પાછળનું વૈજ્ઞાનિક કારણ છે જે અનુસાક મૃતકના શરીરમાં કિટાણું ન જાઇ શકે અને તે માટે તેના નાક અને કાનને રૂથી બંધ કરવામાં આવે છે.
આ ઉપરાંત મૃત શરીરના નાકમાંથી એક દ્રવ્ય નિકળે છે. જેને રોકવા માટે રૂનો ઉપયોગ કરવામાં આવે છે.
બીજું કારણ ધાર્મિક ગ્રંથો સાથે જોડાયેલું છે. હિન્દુ ગ્રંથ ગરૂડ પુરાણ અનુસાર મૃત શરીરના ખુલ્લા ભાગમાં સોનાના કણ રાખવામાં આવે છે. જેને શરીરના નવ અંગોમાં રાખવામાં આવે છે. જેમાં નાક કાન આંખ મોઢું સહિત અન્ય અંગ સામેલ છે.
સોનાને શરીરના વિભિન્ન ભાગોમાં રાખવાથી આત્માને શાંતિ મળે છે અને પાપોનો નાશ થાય છે. નાક અને કાનના છેદ મોટા હોવાને કારણે તેમાં રાખેલો સોનાનો ટૂકડો પડી ન જાય એ માટે નાક અને કાનમાં રૂ નાંખવામાં આવે છે.